ગુજરાતના 150થી વધુ માછીમારો પાકિસ્તાન દ્વારા કેદ છે તેને મુક્ત કરાવવા માટેનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવતા સાંસદ શક્તિસિંહ ગોહિલ

Spread the love

ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની કેદમાંથી મુક્ત કરવાના પ્રયાસો કરો : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ

અમદાવાદ

રાજ્યસભા સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનના દરિયાકાંઠાને અડીને આવેલો છે. આ કારણોસર, ગુજરાતના માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા વારંવાર ઉપાડવામાં આવે છે અને પાકિસ્તાન દ્વારા કેદ કરવામાં આવે છે. આજે પણ ગુજરાતના 150થી વધુ માછીમારો પાકિસ્તાન દ્વારા કેદ છે. પાકિસ્તાની કાયદા અનુસાર, મર્યાદાના ઉલ્લંઘનની મહત્તમ સજા ત્રણ વર્ષની છે, પરંતુ કેટલાક માછીમારો ત્રણ વર્ષથી વધુ સમયથી જેલમાં છે. અગાઉ પાકિસ્તાનમાં કેદ થયેલા માછીમારો તેમના પરિવારજનોને પત્ર લખી શકતા હતા અને પરિવારો પણ પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને પત્ર લખી શકતા હતા. 2017 થી, સરકારે પોસ્ટ દ્વારા આ સંદેશ મોકલવાનું બંધ કરી દીધું છે. તેઓ માછીમારોની ફિશિંગ બોટને પણ નુકસાન પહોંચાડે છે અને તેમના પાર્ટ્સ ચોરી જાય છે.આથી સરકારને વિનંતી છે કે ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની કેદમાંથી મુક્ત કરવાના પ્રયાસો કરો, માછીમારો પોસ્ટ દ્વારા તેમના પરિવાર સાથે સંપર્કમાં રહી શકે તે માટે સુવિધા ફરી શરૂ કરવી જોઈએ, ફિશિંગ બોટની સબસિડી હોવી જોઈએ અને બેંક લોનના હપ્તાની સુવિધા વધારવી જોઈએ.જેલમાં બંધ માછીમારોના પરિવારોના નિર્વાહ માટેની રકમ વધારવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com