મેયરશ્રી મીરાબેન પટેલે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, રાયસણ દ્વારા આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી

Spread the love

ભગવાન શ્રી સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર – રાયસણ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસ – મહિલા દિને મેયરશ્રી મીરાબેન પટેલે હાજરી આપી હતી.

આ અવસરે મેયર શ્રી એ જણાવ્યું હતું કે મંદિર માત્ર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ સમાજમાં સંસ્કાર, સેવા અને સદાચારના મૂલ્યોને મજબૂત બનાવવાનું પવિત્ર સ્થાન છે.

મેયરશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે બીએપીએસ સંસ્થા વર્ષોથી સમાજ સેવા, શિક્ષણ, આધ્યાત્મિકતા અને માનવતાના કાર્ય દ્વારા વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા વધારી રહી છે. આ નવા મંદિર દ્વારા રાયસણ વિસ્તરણ અને ગાંધીનગરના નગરજનોને આધ્યાત્મિક શાંતિ, સાંસ્કૃતિક સંસ્કાર, અને સામાજિક એકતા માટે એક ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *