ગુજરાતની કપડવંજની આ દીકરીએ અમેરિકામાં ડંકો વગાડ્યો,જીતની રકમ બાળકોના ભણતર માટે દાન કરશે ,વાંચો અહેવાલ

Spread the love

ગુજરાતના કપડવંજ ની દીકરીએ ડંકો વગાડે છે ત્યારે કપડવંજના જાણીતા મુકુંદભાઈ હરજીવનદાસ તેલીની પેઢીવાળા પ્રદીપભાઈ તેલીની માત્ર 8 વર્ષની પૌત્રી જાન્યાએ ભારતના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાય કરવા માટે અમેરિકામાં ધનરાશિ એકત્ર કરવા માટે સિયેટલથી પોર્ટલેન્ડ ( STP )ના 333 કિલોમીટરની ભારે ઉતાર-ચઢાવવાળી, જોખમકારક વળાંકવાળી સાઇકલરેસ માત્ર 18 કલાક અને 20 મિનિટમાં પૂરી કરી હતી. શિક્ષણ માટે સાહસ અને સિદ્ધિ હાંસલ કરનાર જાન્યા કદાચ સૌથી નાની ઉંમરની બાળા છે, જેણે આ 5100 ફૂટ ઊંચાઈવાળી સાઇકલરેસ પૂર્ણ કરી છે. અમેરિકામાં 333 કિલોમીટરના અટપટા રસ્તા અને ભારે ઉતાર-ચઢાવવાળી, જોખમકારક સાઇકલરેસ પૂર્ણ કરી અદભુત સાહસ અને સિદ્ધિ સાથે દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભવ્ય જીત મેળવ્યાં બાદ તેણે જણાવ્યું કે, હું મારા પિતા પાર્થિક તથા માતા અંકિતા સાથે સિયેટલમાં રહું છું. થોડા વર્ષ પહેલાં તેમણે સાઇકલ રેસમાં ભાગ લીધો હતો. તે જોઈને મને લાગ્યુ કે મારે પણ આ સાહસ કરવો જોઈએ. એટલે મેં પણ તે રેસમાં ભાગ લીધો હતો. મેં આ રેસ માટે 6 મહિનાના દરેક અઠવાડિયે તૈયારી કરી હતી.જે (STP) રેસ 333 કિમીની હતી. અને મેં આ રેસમાંથી 1500 ડોલર એટલે કે અંદાજીત 1 લાખ રૂપિયા પણ એકઠા કર્યા છે. જેનો ઉપયોગ આશા ફાઉન્ડેશન ભારતના બાળકોના ભણતર માટે કરશે.
અમેરિકામાં સિયેટલમાં ક્રિકસાઈડ એલિમેન્ટરી સ્કૂલમાં ધોરણ – 2માં અભ્યાસ કરતી જાન્યાના પિતા પાર્થિક તથા માતા અંકિતાએ આ રેસ 2017-18માં કરી હતી. એમાંથી પ્રેરણા લઈને જાન્યાએ પણ આ સાહસ કરવાનો નિશ્ચય કર્યો હતો. માતા-પિતાની પ્રેરણા અને પ્રોત્સાહન સાથે જાન્યા આવા ચઢાણવાળા રસ્તા પર ટૂંકી સાઇકલ રેસની તાલીમ લેતી ગઈ. ટૂંકી રેસ પૂર્ણ કર્યા બાદ દૃઢ નિશ્ચય સાથે આ રેસ પૂર્ણ કરી તેણે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સાઇકલ રેસ દરમિયાન એકઠા કરેલા રૂપિયા 1 લાખ ભારતની દીકરીઓને અભ્યાસમાં મદદ કરતી સંસ્થા આશા ફાઉન્ડેશનમાં મોકલવામાં આવશે. જાન્યા એથ્લેટિક અને સ્વિમિંગ પણ સુંદર રીતે કરી જાણે છે.
વિદેશમાં રહીને ભારતની સંસ્કૃતિને અનેક લોકો ભૂલી જાય છે. ત્યારે છેલ્લાં 20 વર્ષથી અમેરિકામાં રહેતાં પાર્થિક તેલી અને અંકિતાબહેન જેવાં માતા-પિતાએ સંસ્કારો અને ભારત પ્રત્યેનો લગાવ જાળવી રાખ્યા સાથે સાથે સંતાનમાં પણ આ દયા, પ્રેમ, લાગણી, સાહસ, સંઘર્ષ જેવા ભારતીય સંસ્કારોનું સિંચન કરી સૌના માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વ. મુકુંદલાલ હરજીવનદાસ તેલી પરિવારમાં શિક્ષણને પ્રાધાન્ય આપવાની પરંપરા 1955થી જ સ્થાપિત છે. સ્વ. મુકુંદકાકાએ આજથી 50 વર્ષ પહેલાં તેમનાં તમામ સંતાનોને પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા. તેઓ પહેલેથી જ કન્યા કેળવણીમાં માનતા હોવાથી તેમણે દીકરીઓને ભણવા માટે પૂરેપૂરું પ્રોત્સાહન આપ્યું હતું.
મુકુંદકાકાના જમાનામાં સાઇકલ લઈને કોઈ દીકરી સ્કૂલે જવાની હિંમત નહોતી કરતી. ત્યારે તેમણે તેમની દીકરીઓ માટે સાઇકલ અને ત્યાર બાદ મોટરબાઈક પણ લાવી આપી હતી. સ્વ.મુકુંદકાકાએ 1942ની ચળવળમાં કોલેજ છોડી ગાંધીજીની સત્યાગ્રહ ચળવળમાં તેમજ આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. તેમણે અનેક વખત અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. સ્વ. મુકુંદકાકાએ કન્યા કેળવણી, જાહેર શૌચાલયની સંખ્યામાં વધારો, યોગ – કસરત અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરોક્ત ઉચ્ચ વિચારોને સાર્થક કરવા ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે. સ્વ. મુકુંદકાકાના વિચારો અને સંસ્કારને સાર્થક કરવા પરિવારની ચોથી પેઢી પણ શિક્ષણ માટે સાહસ ખેડી રહી છે, જેમાંથી સૌએ પ્રેરણા લેવી જોઈએ. પ્રદીપભાઈ તેલી અને બીનાબેનની પૌત્રી તેમજ કિરણભાઈ (કિરણ કેમિસ્ટ) અને પન્નાબેનની દોહિત્રી. જાન્યાને તેના આ અદ્ભુત સાહસ, સંકલ્પ, શિસ્ત, સંયમ અને અથાક પરિશ્રમને તથા ભારતના વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવા માટેની આ દેશદાઝને સૌએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તો આ સાથે સમગ્ર કપડવંજ પંથકમાં ગૌરવની લાગણી વ્યાપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com