ઓપરેશન વિના ઘૂંટણનો અકસીર ઈલાજ, વાંચો

Spread the love

આજે આપણે એક એવા રોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે રોગ આજકાલ નાના-મોટા સર્વેમાં આશ્ચર્યજનક રીતે જોવા મળી રહ્યો છે, જેનું નામ છે ‘સંધિવાત’. આ ઉપરાંત ‘આમવાત’ રોગ પણ આજકાલ ૩૦- ૫૦ વર્ષની ઉંમરથી જ દર્દીઓમાં જોવા મળતો હોય છે. જાનુસંધિનો દુ:ખાવો એટલે કે ઘૂંટણનો દુ:ખાવો આજકાલ ખૂબ જ વધી રહ્યો છે અને મોટા ભાગના ડોક્ટરો આ રોગમાં ઓપરેશનની સલાહ આપતા હોય છે પરંતુ ઓપરેશન વગર પણ ઘૂંટણનો દુ:ખાવો મટાડી શકાય છે, જેના ઉપાયો આયુર્વેદમાં બતાવવામાં આવ્યા છે.

આજકાલ ૨૫થી ૩૫ વર્ષની વ્યક્તિઓની ઉંમરના યુવાનોમાં પણ આ સમસ્યા ખૂબ સામાન્ય રીતે જોવા મળી રહી છે જેનું કારણ અનિયમિત જીવનશૈલી, જંકફૂડ, મેંદાનું અતિ સેવન, ખોરાકમાં સાકરનું વધુ પ્રમાણ, વધતું વજન, બેઠાડું જીવન વગેરેને ગણી શકાય. કેટલીકવાર આંબલી કે ખટાશવાળા પદાર્થો વધારે પ્રમાણમાં લેવાથી પણ સાંધાઓમાં દુ:ખાવાની સમસ્યા સર્જાઈ શકે છે.

જેમ- જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, તેમ તેમ શરીરમાં સ્થૂળતા પણ ઘણી વખત વધતી જતી હોય છે. આ સ્થૂળતાના કારણે સમગ્ર શરીરનું વજન ઘૂંટણ ઉપર આવે છે ને ઘૂંટણમાં ભયંકર દુ:ખાવો ચાલુ થઈ જાય છે. પરિણામે દર્દીને ઉઠવા બેસવામાં, પલાઠી વાળવામાં તેમજ ચાલવામાં પણ ખૂબ જ પીડા થાય છે. ઘણીવખત હાજત જવાના સમયે પણ દર્દી ઉભડક બેસી શકતો નથી અને ઘૂંટણમાં અસહ્ય દુ:ખાવો થતો જોવા મળે છે.  મોટી ઉંમરે સ્ત્રીઓમાં મોનોપોઝના સમય દરમિયાન શરીરમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ખૂબ ઘટી જવાથી વજન વધવું, પગમાં સોજા આવવા વગેેેરે જેવી સમસ્યાઓને કારણે પણ ઘૂંટણ- પગના દુ:ખાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ બે હાડકાની વચ્ચે રહેલી ગાદી (કાર્ટિલેજ) ઘસાતી જાય છે જેથી હાડકા એક-બીજાની સાથે ઘસાઈને જકડાવા લાગે છે અને ઘુંટણમાં ભયંકર પીડા ઉત્પન્ન થાય છે. આવા સમયે ડોક્ટરો ઓપરેશનની કે ની-રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોય છે.

ઘણાં દર્દીઓ મને પૂછે છે કે શું ઓપરેશન વગર આ દુ:ખાવાને મટાડી શકાય તેવો કોઈ અકસીર ઉપાય છે ? તો આનો જવાબ છે કે જો દર્દીમાં થોડી ધીરજ અને સહનશક્તિ હોય તો ચોક્કસ આ દુ:ખાવાને આયુર્વેદ ઔષધો અને સારવારથી મટાડી શકાય છે અને એવા ઘણાં દર્દીઓના અનુભવોથી સિદ્ધ થયું છે કે ઘૂંટણનો આ દુ:ખાવો ઓપરેશન વગર ન જ મટે તેવું માનવાને કોઈ કારણ નથી. ઉપરાંત આ બધાનો આધાર દર્દીની ઉંમર, તેની પ્રકૃતિ, રોગની જીર્ણતા, વારસાગત કારણો વગેરે ઉપર પણ થોડા-ઘણા પ્રમાણમાં આધાર રાખે છે.

કેટલીકવાર ઘુંટણનો આ દુ:ખાવો એક પગના ઘૂંટણમાં થાય છે, તો કેટલીકવાર બંને પગના ઘૂંટણમાં પણ જોવા મળતો હોય છે પરંતુ રોગ જેમ જેમ વધતો જાય તેમ તેમ આ દુ:ખાવો સતત રહ્યા કરે છે. જેના કારણે ઘૂંટણથી પગ સીધો પણ કરી શકાતો નથી અને જો વધારે ચાલવામાં આવે તો, દુ:ખાવો ખૂબ વધી જાય છે. ઘણીવાર દર્દીને ચાલવાના સમયે કડ્- કડ્ અવાજ પણ સંભળાય છે. આ રોગમાં સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીનું હરવા ફરવાનું પણ ક્યારેક મુશ્કેલ થઈ જાય છે.

‘સંધિવાત’ના દરેક દર્દીમાં વાતચિકિત્સા એટલે કે વાયુનો નાશ કરે તેવી સારવાર કરવાનું આયુર્વેદમાં વિધાન છે. એટલે કે, દર્દીએ પણ વાયડા આહારનો ત્યાગ કરવો, ચોળા, પાપડી, તુવેર, મઠ, રીંગણ, બટાટા વેગેરે વાયુકર આહાર છે જેથી તેની પરેજી ખૂબ જરૂરી છે.

પીપરીમૂળનું ચૂર્ણ ૧ ચમચી અને ૨ ચમચી મીઠું મિક્સ કરી રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવું જોઈએ.

– ઘૂંટણના દુ:ખાવા માટે આયુર્વેદમાં ‘જાનુબસ્તિ’ સારવાર ખૂબ જ અસરકારક પરિણામ આપે છે. જેમાં ઘૂંટણની આસપાસ અડદના લોટની પાળી બાંધીને તેમાં સુખોષણ વાતઘ્ન ઔષધ દ્રવ્યો ભરીને આ સારવાર કરવામાં આવે છે. જેના બેથી ત્રણ સીટીંગમાં જ ખૂબ ચમત્કારિક પરિણામો મળેલા છે. આ સારવાર નિષ્ણાતની સલાહમાં રહીને જ કરાવવાનો આગ્રહ રાખવો અને જાનુસંધિશૂલમાં ઘણો જ ફાયદો જોવા મળે છે.

આ ઉપરાંત અગ્નિકર્મ સારવાર એ આ રોગમાં ખૂબ જ ઝડપી પરિણામ આપતી સારવાર પદ્ધતિ છે. અગ્નિકર્મ સારવારમાં દર્દીને કીડી ચટકે તેટલું દર્દ થાય છે પણ દુ:ખાવામાં પ્રથમ સીટીંગમાં જ ૪૦થી ૫૦% જેટલો ફર્ક પડી જાય છે. પણ આ સારવાર નિષ્ણાત- અનુભવી વૈદ્ય પાસે જ કરાવવાનો આગ્રહ રાખવાનો જોઈએ. અગ્નિકર્મ સારવાર એ આયુર્વેદની દુ:ખાવામાં રાહત આપતી ખૂબ ઝડપી ચિકિત્સા પદ્ધતિ છે.

ઔષધ સારવારમાં સિંહનાદ ગુગલની બે- બે ગોળી સવાર- સાંજ ભૂકો કરીને સુખોષ્ણ જળ સાથેેે લેવી મહારાસ્નાદિ કવાથ ૨- ૨ ચમચી સવાર- સાંજ પાણી સાથે લઈ શકાય છે છતાં વૈદ્યની સલાહમાં રહીને કરવામાં આવેલ ઔષધોપચાર વધારે અસરકારક સાબિત થાય છે.

આ ઉપરાંત આ રોગના દરેક દર્દીઓને વજન ઉતારવાની મારી અચૂક સલાહ છે. જેથી આ રોગમાં ઝડપથી ધાર્યું પરિણામ મેળવી શકાય અને સર્જરીના ખર્ચ અને પીડામાંથી બચી આ વ્યાધિમાંથી છૂટકારો મેળવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com