એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ સતત એક્શનમાં છે. તાજેતરના કેસમાં, મંગળવારે, EDએ મની લોન્ડરિંગ (Money Laundering Probe) તપાસના ભાગ રૂપે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકોના ખાનગી સચિવના પરિસરની તપાસ કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ સતત એક્શનમાં છે. તાજેતરના કેસમાં, મંગળવારે, EDએ મની લોન્ડરિંગ તપાસના (Money Laundering Probe) ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ, ખાનગી સચિવ વિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકોના ઘરની તપાસ કરી છે.
એક સમાચાર એજન્સી સત્તાવાર સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દરોડાના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 10 જગ્યાઓને આવરી લેવામાં આવી હતી. વિભવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમાર ઉપરાંત અન્ય કેટલાક લોકોના ઠેકાણાની કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં હાલ બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયેલું છે. આ વખતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પર તેમનો દાવ ઊંધો પડતો જોવા મળી રહ્યો છે. શવિવારે સવારે સીએમ કેજરીવાલા ઘર ક્રાઈ બ્રાન્ચની ટીમ નોટિસ આપવા માટે પહોંચી ગઈ. હકીકતે અરવિંદ કેજરીવાલે બીજેપી પર આમ આદમી પાર્ટી વિધેયકોના ખરીદ-વેચાણના પ્રયત્નનો આરોપ મૂક્યો હતો. આ કેસમાં તપાસમાં સહયોગ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી. શુક્રવારે પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી, પણ મુલાકાત ન થતાં ક્રાઈમ બ્રાન્ચના ઑફિસર નોટિસ રિસીવ કરાવીને આવ્યા. કેજરીવાલ સિવાય દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીના ઘરે પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી.
જણાવવાનું કે સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ પર AAPના 21 ધારાસભ્યોને ખરીદવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, શિક્ષણ પ્રધાન આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ભાજપે દરેક ધારાસભ્યને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી છે. તેમની પાસે આની ઓડિયો ક્લિપ છે, જે સમય આવશે ત્યારે જાહેર કરવામાં આવશે. બીજેપીના દિલ્હીના સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓએ મંગળવારે પોલીસ કમિશનર સંજય અરોરાને મળીને આ મામલે તપાસની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે દિલ્હી બીજેપીએ 30 જાન્યુઆરીએ ફરિયાદ દાખલ કરીને કેજરીવાલના ખોટા આરોપોની પોલીસ તપાસની માંગ કરી હતી અને કહ્યું હતું કે તેણે AAP ધારાસભ્યોને આવી કોઈ ઓફર કરી નથી. સચદેવાએ કહ્યું કે હવે જ્યારે ક્રાઈમ બ્રાન્ચે કેજરીવાલને નોટિસ પાઠવી છે, તો તેણે કાં તો પોતાના આરોપોના સમર્થનમાં પુરાવા રજૂ કરવા જોઈએ અથવા ફોજદારી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.