શરાબ નીતિ સાથે જોડાયેલ કથિત મની લોન્ડ્રીંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ. આ દરમ્યાન સીએમ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીએ તેમને વચગાળાના જામીન આપવાની માગ કરતા દલીલો આપી હતી. ત્યારે જસ્ટિસ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સિંધવીની સામે મોટી શરત રાખી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે આપના પ્રમુખને કહ્યું કે, જો તેમને વચગાળાના જામીન આપી દઈએ તો, તેમને સીએમ કર્તવ્ય પાલનની પરવાનગી નહીં આપવામાં આવે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની સુપ્રીમ કોર્ટે બેન્ચે કહ્યું કે, જો અમે તમને વચગાળાના જામીન આપીએ તો, અમે સ્પષ્ટ છીએ છે કે અમે આપને મુખ્યમંત્રી તરીકે આપના કર્તવ્યોનું પાલન નહીં કરવા દઈએ.
સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને સવાલ કર્યો કે, અંતરિમ જામીન મળવા પર શું તમે ઓફિસે જશો, તેના પર તેમના તરફથી હાજર વકીલે કહ્યું કે, હું આબકારી નીતિ પર કોઈ કામ નહીં કરુ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે ઓફિસે જશો તો ઠીક નહીં રહે. તેના પર સિંઘવીએ કહ્યું કે, એક સીએમ તરીકે તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ.
સિંઘવીએ કહ્યું કે, સીએમ પાસે જો કોઈ મંત્રાલય નથી, તો શું તેઓ પદ સંવૈધાનિક થઈ ગયું. એલજીએ પણ માન્યતા આપી છે. 2 અઠવાડીયા પહેલા એલજીએ ફાઈલ પાછી આપી દીધી કે સીએમ હસ્તાક્ષર નથી કરતા.
તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માની લો કે અમે આપને છોડીએ તો ઓફિસ જવાનું ઠીક નહીં હોય. અમે એ કહી રહ્યા છીએ કે, સત્તાવાર કામ નથી કરી શકે. તો વળી વરિષ્ઠ વકીલ સિંઘવીએ કહ્યું કે, હું એક નિવેદન આપવા માગું છું કે, કોઈ પણ ફાઈલ પર હસ્તાક્ષર નહીં કરે. આ શરત સાથે એલજી આ આધાર પર કોઈ કામ નહીં રોકે કે મેં કોઈ ફાઈલ પર હસ્તાક્ષર નથી કર્યા.
સિંઘવીની આ દલીલ પર સુપ્રીમ કોર્ટની બેન્ચમાં સામેલ જસ્ટિસ દત્તાએ કહ્યું કે, જો ચૂંટણી ન હોત તો અમે મુખ્ય કેસને જ સાંભળતા. ત્યારે અમે આપની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખતા, જે રજા બાદ જ આવતો.