પ્રેસ કાઉન્સિલે તમામ રાજ્ય સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, પત્રકાર ટોળાનો ભાગ નથી, પત્રકારો સાથે વધતા જતા અત્યાચારોઅને પોલીસના અનુસુચિત વ્યવહારોને કારણે અનેક વખત પત્રકાર સ્વતંત્રતાપૂર્વક કામ કરી શકતા નથી. આ મુદ્દાને ધ્યાનમાં લેતા ભારતીય પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ માર્કંડેય કાત્સુએ તમામ રાજય સરકારને ચેતવણી આપતા નિર્દેશ કર્યો છે. કે, પોલીસ પત્રકારો સાથે ગેરવર્તણૂક કરે નહી. કોઈપઈ સ્થળ પર હિંસા તથા વિવાદ સર્જાવવાના સંગોમાં પત્રકારોની કામગીરી પર પોલીસ ખલેલ પહોંચાડી શકે નહી. પોલીસ જેવા રીતે ટોળાને દૂર કરે છે. તેવો વ્યવહાર પત્રકારો સાથે કરી શકે નહી. આમ થવા પર ગેરવર્તણૂક કરનાર પોલીસકર્મા તથા અધિકારીઓ વિરૂધ્ધ ગુનાહિત મામલો નોંધવામાં આવશે. કાજુએ કહ્યું છે કે જે રીતે કોર્ટમાં એક અધિવરતા પોતાના અસીલની હત્યાને કેસ લડે છે પરંતુ તે હત્યારો બની જતો નથી. તેવી જ રીતે જાહેર સ્થળો પર પત્રકાર પોતાનું કામ કરે છે પરંતુ તે ટોળાનો ભાગ નથી. આથી પત્રકારોને તેમનું કામ કરતાં અટકાવી મીડિયાની સ્વતંત્રતા હવન કરવામાં આવે છે. પ્રેસ કાઉન્સિલે દેશના કેબિનેટ સચિવ, ગૃહસચિવ, તમામ રાજયોના મુખ્યમંત્રી, મુખ્ય સચિવો તથા ગૃહસચિવોને આ સંદર્ભે નિર્દેશ મોકલ્યા છે. અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પત્રકારો સાથે પોલીસ તથા અર્ધસેન્દ દળની હિંસા ચલાવી લેવામાં આવશે નહીં. સરકાર ખાતરી આપે કે પત્રકારો સાથે આવી કોઈ કાર્યવાહી થશે નહી. પોલીસની પત્રકારો સાથેની બાથને મીડિયાની સ્વતંત્રતાના હકનું હનન ગણવામાં આવશે.