વોલમાર્ટ સ્ટોરના ઓવનમાંથી ભારતીય યુવતીનો સળગેલો મૃતદેહ મળ્યો

Spread the love

આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. પોલીસે 19 વર્ષની ગુરસિમરન કૌરના મોતની તપાસ શરૂ કરી છે અને દરેક એંગલથી તપાસ કરી રહી છે. 9 ઓકટોબરના રોજ ગુરસિમરન કૌર ઘણા કલાકો સુધી તેની માતા પાસે ન આવી હંમેશની જેમ, ગુરસિમરન કૌર હેલિફેક્સ શહેરમાં વોલમાર્ટ સ્ટોર પર કામ કરવા માટે તેના ઘરેથી નીકળી હતી. વોલમાર્ટ સ્ટોર પર પહોંચ્યા પછી, 19 વર્ષની ગુરસિમરન કૌર તેના સાથીદારોને મળી અને કામ કરવા લાગી.
ગુરસિમરન કૌરની માતા પણ આ સ્ટોરમાં કામ કરતી હતી. ગુરસિમરન કૌર કામ દરમિયાન સમયાંતરે તેની માતાને મળતી હતી. પરંતુ 19 ઓકટોબરના રોજ ગુરસિમરન કૌર ઘણા કલાકો સુધી તેની માતા પાસે ન આવી. ગુરસિમરન કૌરની માતાએ સ્ટોરમાં કામ કરતા અન્ય કર્મચારીઓને તેની પુત્રી વિશે પૂછ્યું. પરંતુ ગુરસિમરન કૌર વિશે કે તે ક્યાં છે તે વિશે કોઈને કંઈ ખબર નહોતી.

થોડા સમય પછી, સ્ટોરમાં કામ કરતા એક કર્મચારીએ જોયું કે ‘વોક-ઇન’ ઓવનની અંદરથી કંઈક લીક થઈ રહ્યું છે. જેની માહિતી તેણે પોતાના અધિકારીઓને આપી હતી. થોડી જ વારમાં, લોકો ‘વૉક-ઇન’ ઓવનની બહાર ભેગા થઈ ગયા.

ગુરસિમરન કૌરની માતા પણ ‘વોક-ઈન’ ઓવન પાસે પહોંચી હતી. જયારે ‘વોક-ઈન’ ઓવન ખોલવામાં આવ્યું ત્યારે તેની અંદરથી એક મૃતદેહ મળી આવ્યો હતો. લાશ ગુરસિમરન કૌરની હોવાનું જાણવા મળ્યું હેલિફેક્સ પ્રાદેશિક પોલીસ (HRP)એ જણાવ્યું હતું કે તેઓને શનિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ 6990 મમફોર્ડ રોડ સ્થિત વોલમાર્ટમાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતી સ્ટોરમાં કામ કરતી હતી. યુવતીનો મૃતદેહ બળી ગયો હોવાથી તેની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી. જોકે, બાદમાં લાશ ગુરસિમરન કૌરની હોવાનું જાણવા મળ્યું હતું.

ગુરસિમરન કૌરનો મૃતદેહ કેનેડાના હેલિફેક્સ શહેરમાં સ્થિત વોલમાર્ટ સ્ટોરના ‘બેકરી વિભાગ’માંથી મળ્યો હતો. ગુરસિમરન કૌર તેની માતા સાથે કેનેડામાં રહેતી હતી. અકસ્માતના દિવસે ગુરસિમરન કૌરની માતા પણ સ્ટોરમાં હાજર હતી. ગુરસિમરન કૌર અને તેની માતા એક જ સ્ટોરમાં કામ કરતી હતી.

ગુરસિમરન કૌરના પિતા અને ભાઈ ભારતમાં રહેતા હતા. ગુરસિમરન કૌરના મૃત્યુના સમાચારથી પરિવાર આઘાતમાં છે. મેરીટાઇમ શીખ સોસાયટીએ પુષ્ટિ કરી કે મહિલા તેમના સમુદાયની સભ્ય હતી. મેરીટાઇમ શીખ સોસાયટીના અનમોલપ્રીત સિંહે કહ્યું, આ અમારા અને તેમના પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. તેણી તેના સારા ભવિષ્ય માટે અહીં આવી હતી પરંતુ તેણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગુરસિમરનના મૃત્યુની તપાસ ચાલુ છે અને શનિવાર રાતથી સ્ટોર બંધ છે.

છેવટે, ગુરસિમરન કૌરનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ પણ એક રહસ્ય છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે ઓવનમાં તાળું નહોતું અને તેને બંધ કરવા માટે ખૂબ જ બળની જરૂર હતી. જે પ્રશ્ન ઉભો કરે છે કે શું ગુરસિમરન ઓવનની અંદર બંધ હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને એક નોટિસ પણ મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓવનમાં ખામી છે. જો ઓવનની ભઠ્ઠી ખામીયુક્ત હતી તો તેનો ઉપયોગ શા માટે કરવામાં આવી રહ્યો હતો? સ્ટોરના અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com