એસટી વિભાગની ઉનાળું વેકેશન માટે “મન ફાવે ત્યાં ફરો” યોજના શરૂ… મિનિમમ ભાડા સાથે ચાર દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે

Spread the love

 

MoS Transport flags off 20 new hi-tech Volvo buses of GSRTC | DeshGujarat

 

ગાંધીનગર

ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે. ‘મન ફાવે ત્યાં ફરો’ નામની આ યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં ચાર દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે. આ યોજનાનો મુખ્ય હેતુ ઉનાળુ વેકેશનમાં લોકોને ઓછા ખર્ચે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેવાની તક પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, મુસાફરો ચાર દિવસ અને સાત દિવસ માટે રૂ. 425થી 1450 રૂપિયામાં ગુજરાતના કોઈપણ એસટી બસ સ્ટેન્ડથી મુસાફરી કરી શકશે. આ યોજના ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓને ખૂબ જ ઉપયોગી થશે. એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત એસટી દ્વારા મન ફાવે ત્યાં ફરો યોજનાના પાસની સેવા ઉપલબ્ધ છે. જેમાં ગુજરાત ભરમાં અંબાજીથી લઇને ઉમરગામ અને દ્વારકાથી લઇને કચ્છ-ભુજ સુધીમાં એસટી બસની જે મુસાફરીમાં મન ફાવે ત્યાં ફરો પાસમાં ચાર દિવસથી સાત દિવસ સુધીની છે. જેમાં 425થી 1450માં લોકલ, એક્સપ્રેસ, નોન એસી અને એસી બસની સુવિધા ઉપલબ્ધ છે. આ પાસ લઇને તમે ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકો છો અને તેમાં કોઇપણ પ્રકારની અગવડતાં નથી. આ યોજનાનો મહત્તમ લાભ વિકેન્ડ અને આવનાર ઉનાળું વેકેશન દરમિયાન લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *