
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી બરબાદ થયેલા ઉત્તરી ગાઝાથી બીજા એક મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં ફરી એકવાર ઇઝરાયેલી વિમાનોએ રહેણાંક બ્લોક પર ભારે હુમલો કર્યો, જેમાં લગભગ 23 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ગાઝા આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માર્યા ગયેલાઓમાં આઠ મહિલાઓ અને આઠ બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલો ગાઝા શહેરના શિજૈયાહ વિસ્તારમાં થયો હતો. જોકે, આ હુમલા અંગે, ઇઝરાયલી સેનાએ કહ્યું કે આ હુમલો હમાસના એક વરિષ્ઠ આતંકવાદીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જે શિજૈયાહથી હુમલાઓ કરી રહ્યો હતો. ઇઝરાયલી હવાઈ હુમલા બાદ, આરોગ્ય મંત્રાલયની કટોકટી સેવાએ જણાવ્યું હતું કે આ હુમલો ગાઝા શહેરના શિજૈયાહ પડોશમાં એક ચાર માળની ઇમારતને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જ્યાં બચાવ ટીમો કાટમાળ નીચે દબાયેલા પીડિતોને શોધી રહી છે. હવે ગાઝામાં ઇઝરાયલી વલણની વાત કરીએ તો, ઇઝરાયલે ગાઝાના કેટલાક ભાગોમાં, ખાસ કરીને શિજૈયાહમાં, મોટા પાયે સ્થળાંતર કરવાના આદેશો જારી કર્યા છે. આ અંતર્ગત, ખોરાક, બળતણ અને માનવતાવાદી સહાય પર નાકાબંધી લાદવામાં આવી છે. આનાથી નાગરિકો પર અસર પડી છે કારણ કે તેઓ હવે આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે.
જોકે આ અઠવાડિયાની શરૂઆતમાં યુદ્ધવિરામ ભંગ થયા પછી, હમાસે ઇઝરાયલ તરફ વધુને વધુ તીવ્ર રોકેટ છોડ્યા ત્યારબાદ ઇઝરાયલે ગાઝામાં હમાસ સામે યુદ્ધ ફરી શરૂ કર્યું. યુદ્ધવિરામ દરમિયાન, ગાઝાના નાગરિકોને થોડી રાહત મળી, અને માનવતાવાદી સહાય પણ પહોંચાડવામાં આવી. તેમજ 25 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે આ અઠવાડિયાની શરૂઆતમાં યુદ્ધવિરામ ભંગ થયા પછી, હમાસે ઇઝરાયલ તરફ વધુને વધુ તીવ્ર રોકેટ છોડ્યા ત્યારબાદ ઇઝરાયલે ગાઝામાં હમાસ સામે યુદ્ધ ફરી શરૂ કર્યું. યુદ્ધવિરામ દરમિયાન, ગાઝાના નાગરિકોને થોડી રાહત મળી, અને માનવતાવાદી સહાય પણ પહોંચાડવામાં આવી. તેમજ 25 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. હમાસના હુમલાથી શરૂ થયેલા આ યુદ્ધે ગાઝા પટ્ટીને તબાહ કરી દીધી. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 50,000 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે અને હજુ પણ આ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધમાં કોઈ ઘટાડો થવાના કોઈ સંકેત નથી. નોંધનીય છે કે આ ભીષણ સંઘર્ષ 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલના દક્ષિણ ભાગ પર હમાસના હુમલા સાથે શરૂ થયો હતો. હમાસના હુમલા પછી, ઇઝરાયલે બદલો લીધો અને આ યુદ્ધ બંને પક્ષો માટે ગંભીર પરિણામો લાવ્યું છે. દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધ સમાપ્ત કરવા અંગેના પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી હમાસનો પરાજય ન થાય ત્યાં સુધી યુદ્ધ બંધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તે જ સમયે, હમાસ કહે છે કે તે યુદ્ધ સમાપ્ત થાય તે પહેલાં તેના બાકીના બંધકોને મુક્ત કરશે નહીં