અમારા માટે દેશ પ્રથમ પછી તમામ, ભારતનું પાણી હવે ભારતમાં જ રહેશે અને વહેશે

Spread the love

 

પીએમ મોદીનું આ નિવેદન સરકારે 1960માં પાકિસ્તાન સાથે વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરાયેલી સિંધુ જળ સંધિ, જે એક ઐતિહાસિક જળ વહેંચણી સંધિ હતી, તેને સ્થગિત કરવાની જાહેરાત કર્યાના થોડા દિવસો પછી આવ્યું છે. પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ તેને સ્થગિત કરવામાં આવી હતી, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પાકિસ્તાન સાથે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય બાદ તેમની પહેલી વખત જાહેર મંચ પરથી આ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, ભારત માટેનું પાણી હવે દેશની અંદર રહેશે અને તેનો ઉપયોગ કરવામાં આવશે. એક ખાનગી સમાચાર ચેનલ પરના એક કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પહેલાં, ભારતનું પાણી પણ બહાર જતું હતું. હવે ભારતનું પાણી ભારતમાં જ વહેશે અને રહેશે, તેનો ઉપયોગ માત્ર ભારત અને ભારતીયોના હિત માટે જ કરવામાં આવશે.

સિંધુ જળસમજુતી રદ્દ કર્યા બાદ પીએમનું પ્રથમ નિવેદન

આ નિવેદન સરકાર દ્વારા સિંધુ જળ સમજુતીને સ્થગિત કરવાની જાહેરાતનાં થોડા જ દિવસો બાદ આવ્યો છે. આ વર્લ્ડ બેંકની મધ્યસ્થતા બાદ કરવામાં આવેલી એક ઐતિહાસીક જળ સંધી છે. જેના પર 1960 માં પાકિસ્તાન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પહેલગામમાં થયેલા એક ઘાતક આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત થયા બાદ આ સંધીને સ્થગિત કરી દેવામાં આવી હતી.

જ્યાં સુધી પાકિસ્તાન નહી સુધરે ત્યાં સુધી પ્રતિબંધો યથાવત્ત

આ કરારને રોકવાનો નિર્ણય કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) દ્વારા લેવામાં આવ્યો હતો. જે રાષ્ટ્રીય સુરક્ષા પર સરકારની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી આ સસ્પેન્શન અમલમાં રહેશે. કરારની શરૂઆત પછી આ પહેલી વાર છે. જ્યારે ભારતે સત્તાવાર રીતે તેનો અમલ બંધ કર્યો છે. તે તેના રાજદ્વારી વલણમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન છે. સતત તણાવને કારણે વર્ષોથી સમયાંતરે સમીક્ષા માટે બોલાવવામાં આવ્યા હોવા છતાં, આ કરાર અત્યાર સુધી અસ્પૃશ્ય રહ્યો છે.

અગાઉની સરકારની ઝાટકણી કાઢી

અગાઉની સરકારોની કડક નિર્ણયો લેવામાં ખચકાટ બદલ ટીકા કરતા, પીએમ મોદીએ મંગળવારે કહ્યું, “એક સમય હતો જ્યારે લોકો કોઈપણ જરૂરી પગલું ભરતા પહેલા વિચારતા હતા કે દુનિયા શું વિચારશે. તેઓ વિચારતા હતા કે, તેમને મત મળશે કે નહીં, તેમની બેઠક સુરક્ષિત રહેશે કે નહીં. આ કારણોસર, મોટા સુધારામાં વિલંબ થયો. કોઈ પણ દેશ આ રીતે આગળ વધી શકતો નથી. દેશ ત્યારે જ આગળ વધે છે જ્યારે આપણે રાષ્ટ્રને પ્રથમ રાખીએ છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *