મણિપુરમાં સેનાનું ઓપરેશન, ૧૦ કટ્ટર ઉગ્રવાદીઓ ઠાર કર્યા

Spread the love

 

સમતાલ

મણિપુરના અશાંત ચંદેલ જિલ્લામાં મ્યાનમાર સરહદ પર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આસામ રાઇફલ્સના એક યુનિટે ન્યૂ સમતાલ ગામ નજીક કાર્યવાહી કરતી વખતે ૧૦ આતંકવાદીઓને ઠાર માર્યા છે. ભારત-મ્યાનમાર સરહદ નજીક આવેલા ખેંગજોય તાલુકામાં ગુપ્ત ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન, જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ ઝડપથી નિયંત્રણ સંભાળ્યું અને સંયમ સાથે પરંતુ ચોકસાઈથી વળતો જવાબ આપ્યો. આ એન્કાઉન્ટરમાં ૧૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે X પર આ ઓપરેશન વિશે માહિતી આપી હતી. તેમાં લખ્યું હતું કે, ૧૪ મે ૨૦૨૫ ના રોજ, ખેંગજોય તાલુકાના ન્યૂ સમતાલ ગામ નજીક સશષા કેડરોની હિલચાલ અંગે ગુપ્ત માહિતીના આધારે, આસામ રાઇફલ્સના એક યુનિટે એક ઓપરેશન શરૂ કર્યું. એન્કાઉન્ટર દરમિયાન, સૈનિકોએ વળતો જવાબ આપ્યો. આમાં, ૧૦ આતંકવાદીઓ માર્યા ગયા અને મોટી માત્રામાં શષો મળી આવ્યા. ઓપરેશન હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે મે ૨૦૨૩ થી, મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસક અથડામણો ચાલી રહી છે. આ અથડામણોમાં અત્યાર સુધીમાં ૧૩૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૪૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ ૬૦,૦૦૦ લોકોને પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *