“ઓપરેશન સિંદૂર સમાપ્ત કરવું જોઈએ”,”ભારત સરકારે પાકિસ્તાન સાથે વાતચીત કરે”ઃ મણિશંકર અય્યર

Spread the love

 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મણિશંકર અય્યરે કહ્યું છે કે ભારતે તરત જ ઓપરેશન સિંદૂર સમાપ્ત કરવું જોઈએ અને પાકિસ્તાન સાથે કોઈપણ વિલંબ વિના વાતચીતના ટેબલ પર પાછા ફરવું જોઈએ. તેમણે આ વાત એક ઇન્ટરવ્યુમાં કહી છે. તેનો વીડિયો રવિવારે સામે આવ્યો છે. તેમના નિવેદન પર જવાબ આપતા BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસને “ઇસ્લામાબાદ નેશનલ કોંગ્રેસ” ગણાવી. તેમણે કહ્યું-“કોંગ્રેસ વારંવાર પાકિસ્તાનને ક્લીનચીટ આપે છે અને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીનું સમર્થન કરતી નથી. કોંગ્રેસની ઓળખ, PAK મારો ભાઈજાન, સેનાનું કરો અપમાન”. પૂનાવાલાએ કહ્યું- રાહુલે સર્જિકલ સ્ટ્રાઈકને લોહીની દલાલી કહી હતી. તેઓ ઓપરેશન સિંદૂરને નિષ્ફળ ગણાવે છે. હવે ગાંધી પરિવારના ઈશારે મણિશંકર અય્યરે ફરીથી પાકિસ્તાન માટે હિમાયત કરી છે અને ઓપરેશન સિંદૂરની મજાક ઉડાવી છે.
ભાજપ સાંસદ યોગેન્દ્ર ચંડોલિયા- મણિશંકર અય્યર કોણ હોય છે અમને કહેનારા? જ્યારે તેમનું શાસન હતું, ત્યારે કેટલી આતંકવાદી ઘટનાઓ થતી હતી. કોંગ્રેસના લોકો ઈચ્છે છે કે દેશમાં આતંકી ગતિવિધિઓ રહે. નરેન્દ્ર મોદીના શાસનમાં પાકિસ્તાન જો ચૂં કરશે તો તેનો જવાબ ઠોકીને આપવામાં આવશે. સપા પ્રવક્તા ફખરુલ હસન ચાંદ- મણિશંકર અય્યરનું નિવેદન હોય કે અમેરિકાનું નિવેદન હોય. ઘણા દેશોએ ભારત-પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર પછી તણાવ સમાપ્ત કરવા માટે વાતચીત કરવાની વાત કહી હતી. દેશની સરકારે જ્યાં એક તરફ એમ કહ્યું કે લોહી અને પાણી સાથે નહીં વહે, બીજી તરફ ભારત-પાક ક્રિકેટ મેચ થાય છે તો ઘણા સવાલો ઉભા થાય છે. આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારી- રાષ્ટ્રીય હિતમાં શું છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને કેવી રીતે સંભાળવા જોઈએ, તે નક્કી કરવું વર્તમાન સરકારનું કામ છે. આ સરકારનો આંતરિક મામલો છે અને તેના પર કોઈને પણ વિશેષ ટિપ્પણી કરવાનો અધિકાર નથી.સીપીઆઈ (એમ) નેતા હન્નાન મોલ્લાહ- આ એક તર્કસંગત અભિપ્રાય છે. દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. આ તેમનો અભિપ્રાય છે, જો તેમાં કોઈ સાર હોય તો લોકો તેને સ્વીકારશે; જો ન હોય તો લોકો તેને નકારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *