સફેદ વાળ ન થાય તેવો એક રામબાણ ઈલાજ જાણો…..

Spread the love

આયુર્વેદમાં વાળ માટે અરીઠા, આંમળા અને શિકાકાઈને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર આંમળા વાળને કલર કરવાનું કામ કરે છે અને આ ત્રણેય વસ્તુના મિશ્રણથી વાળ સફેદ થવાનું પ્રમાણ પણ ઘટી જાય છે.  અરીઠા, આંમળા અને શિકાકાઈને સમાન માત્રમાં લઈ લોઢાના વાસણમાં રાત્રે પલાળી દેવા. બીજા દિવસે આ પેસ્ટને વાળમાં લગાવો.  ઉનાળો હોય તો 15 મિનિટ અને શિયાળો હોય તો 25 મિનિટ સુધી વાળમાં આ પેસ્ટ રાખવી અને પછી વાળ ધોઈ લેવા. આ પેસ્ટની કોઈ આડઅસર થતી નથી તેથી તેને રોજ પણ લગાવી શકાય છે.  આ પેસ્ટનો ઉપયોગ કરો તો ખાસ ધ્યાન રાખવું વાળમાં તેલ લગાડવાનું. વાળ રૂક્ષ ન થઈ જાય તે માટે સૌથી પહેલા વાળમાં તેલ લગાવવું. વાળ વધારે સફેદ હોય તો શરૂઆતમાં થોડા દિવસ આ ત્રણ પાવડર સાથે મેંદીનો પાવડર પણ ઉમેરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *