ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ
લાઈવસ્ટોક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ બિલ – 2023 આશ્ચર્યજનક રીતે ઢોર અને પ્રાણીઓને કોમોડિટી તરીકે વ્યાખ્યાયીત કરે છે અને જીવંત સ્ટોકની નિકાસને કાયદેસર બનાવવાનો પ્રયાસ
નવી દિલ્હી જોઈન્ટ સેક્રેટરી,મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય,કૃષિ ભવનને મનહર પટેલે પત્ર લખ્યો
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે એક યાદીમાં જણાવ્યું હતું કે લાઈવસ્ટોક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ બિલ – 2023 સૂચિત બિલ આશ્ચર્યજનક રીતે ઢોર અને પ્રાણીઓને કોમોડિટી તરીકે વ્યાખ્યાયીત કરે છે અને જીવંત સ્ટોકની નિકાસને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરે છે. આમ જીવિત પશુ, પક્ષીઓ અને ઢોરની નિકાસને આ રીતે હેરાફેરી કરીને દબાણ કરવું એ બંધારણની જોગવાઈઓ અને ભાવના વિરુદ્ધ છે.અમે જીવતા પશુઓની નિકાસની પ્રથાની ટીકા કરીએ છીએ અને જીવતા પશુઓની નિકાસ બંધ કરવાની માંગણી કરીએ છીએ. આ બિલ પસાર થવાથી રાષ્ટ્રીય પશુ સંપત્તિના હિત પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે, જ્યારે પશુધન ક્ષેત્ર પહેલેથી જ ભારતમાંથી મોટા પાયે માંસની નિકાસને કારણે સરકાર અને તેની તંત્રની ઘોર ઉપેક્ષા અને ઉદાસીનતાનો શિકાર છે. આ શોષણને રોકવા માટે ક્યાંકને ક્યાંક સરકારી સ્તરે બાઉન્ડ્રી લાઈન હોવી જોઈએ. વેબસાઈટમાં આપેલી માહિતી જણાવે છે કે તમારા મંત્રાલયનું અધિકારક્ષેત્ર માત્ર પ્રાણીઓની આયાતને લગતી બાબતો સુધી મર્યાદિત છે અને નિકાસની બાબત ડીજીએફટી, વાણિજ્ય મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તેથી, ઉપરોક્ત સૂચિત બિલમાં લાવવામાં આવેલ નિકાસનો મુદ્દો તમારા મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવતો નથી, તે સમગ્ર બિલની કાનૂની માન્યતા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. સામાન્ય રીતે હિતધારકો દ્વારા તેમના સૂચનો અને ટિપ્પણીઓ સબમિટ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવે છે, પરંતુ આપે આ માટે માત્ર 10 દિવસનો સમય આપ્યો છે જે અપૂરતો છે. આવા સામાન્ય માપદંડોને અવગણીને જ્યારે બિલ પસાર કરવામા આવી રહ્યુ છે તે વિદેશી પ્રભાવ હેઠળના સંકેત આપે છે. આમ આ બિલને પ્રાણી પ્રેમી અને જીવ દયાની ભાવનાને સમર્થન કચડીને ઉતાવળમાં પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.વાંધાઓને ધ્યાનમાં રાખીને પટેલે વિનંતી કરી છે કે સૂચિત બિલને તાત્કાલિક રદ કરો અને એક નવું બિલ લાવો જેનો હેતુ ફક્ત પ્રાણીઓ અને પક્ષીઓની આયાતના મુદ્દા સુધી મર્યાદિત હોય અને જે આપના મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવતુ હોય.