2000ની 97 ટકા નોટો પરત આવી ગઈ, 3 ટકા હજું બાકી, કોની પાસે હશે? .. વાંચો

Spread the love

દેશમાંથી રૂપિયા 2000ની ચલણી નોટ, ચલણમાંથી પરત ખેંચી લેવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પરત ખેંચાયેલી રૂપિયા 2000ની ચલણી નોટ બદલવા માટે, લોકોને 7 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. આ સમયગાળામાં રૂપિયા 2000ની 97 ટકા નોટો પરત આવી ગઈ છે. રૂપિયા 2000ની ચલણી નોટ પરત ખેચવાનું રૂપિયા 500-1000ની નોટબંધી જેવું નથી, જે 8 વર્ષ પહેલાં 500 અને 1000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવી હતી. તે સમયે રૂપિયા પ્રતિબંધિત કરાયેલ 500 અને 1000ની 99 % નોટો પાછી આવી ગઈ હતી.

ભારતીય ચલણમાંથી પાછી ખેંચી લેવાયેલ ₹2000ની 97 ટકાથી વધુ ચલણી નોટો ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ને પાછી મળી ગઈ છે. જો કે 2016 માં કરાયેલ નોટબંધીના સમય જેવું નથી. એ સમયે ચલણમાંથી પ્રતિબંધિત ઠરાવેલ રૂપિયા 500 અને 1000 રૂપિયાની લગભગ 99 ટકા ચલણી નોટો, બેંક મારફતે આરબીઆઈ પાસે પાછી આવી ઘઈ હતી. RBIએ આજે બુધવારે ₹2000ની ચલણી નોટ સંબંધિત વિગતો જાહેર કરી હતી. ભારતીય રિઝર્વ બેંકે પહેલા લોકોને રૂપિયા 2000ની ચલણી નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ત્યાર બાદમાં તે વધારીને 7 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવ્યો હતો.

ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે 19 મેના રોજ, ₹2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, આ વખતનું ડિમોનેટાઇઝેશન 2016 કરતા તદ્દન અલગ હતું. તે સમયે દેશમાં રૂ.500 અને રૂ.1000ની નોટોનું લીગલ ટેન્ડર નાબૂદ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે રૂ.2000ની નોટોનું લીગલ ટેન્ડર યથાવત રાખવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com