સાબરમતી નદી બની સુસાઈડ પોઇન્ટ, ફરી બે લાશ મળી આવતાં ચકચાર…

Spread the love

અમદાવાદમાં વધુ એકવાર ચકચાર મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. શહેરની વચ્ચોવચથી વહેતી સાબરમતી નદીમાંથી આજે ફરી 2 અજાણી લાશ મળી હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે આ બંને લાશ યુવકોની છે. જેમાંથી 1ની ઉંમર આશરે 35થી 40 વર્ષની છે, જ્યારે કે બીજાની ઉંમર 25થી 30 વર્ષની હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાની વિશેષ જાણકારી પ્રમાણે સાબરમતીમાં નદીમાંથી ફરી એકવખત લાશો મળી હોવાની ઘટના સામે આવી છે. આ વખતે સપ્તર્ષિ સ્મશાન પાસેથી એક અજાણ્યા યુવકની લાશ મળી હોવાનું સામે આવ્યું છે. આ એક યુવકની લાશ હતી, જેની વય આશરે 35થી 40 વર્ષની હોવાનું જણાઈ રહ્યું છે. આ લાશ અડધી સડેલી હાલતમાં મળી છે. જે નદીના પાણીમાં તરી રહી હતી. આ વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

આ ઉપરાંત એક અન્ય લાશ આજે દૂધેશ્વર બ્રિજ પાસેથી મળી હોવાની જાણકારી પણ સામે આવી છે. આ પણ એક યુવાનની જ લાશ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવાનની વય આશરે 25થી 30 વર્ષની હોવાનું જણાઈ રહ્યું છે. આ યુવકો કોણ છે અને તેમની સાથે શું બીના બની હતી તેની કોઈ પણ જાણકારી મળવા પ્રાપ્ત થઈ નથી. જો કે સૂત્રોએ જણાવેલી માહિતી અનુસાર આ બંને યુવાનોએ નદીમાં ઝંપલાવ્યું હોવાનું સંભવ છે. આ બંને મૃતદેહોને ફાયરબ્રિગેડ દ્વારા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હવે આ મામલે વિશેષ તપાસ થાય તેવી શક્યતાઓ છે.

મહત્વનું છે કે આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી હતી. આ અગાઉ પણ અમદાવાદમાં એલિસબ્રિજથી આંબેડકર બ્રિજ સુધીના વિસ્તારમાં સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં ચાર મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં તમામને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને રિવરફ્રન્ટ પોલીસે તેમની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં કુલ 4 લોકોના મૃતદેહ એક જ દિવસમાં મળી આવ્યા હતા. જેમાં 3 પુરુષોના અને એક મહિલાનો મૃતદેહ સામેલ હતો. આ મામલે રિવરફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે વધુ એકવખત સાબરમતી નદીમાંથી લાશો મળવાની ઘટનાને પગલે લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com