જો ઇન્ડિયા ગઠબંધન જીત્યુ હોત તો પાંચ વર્ષમાં 5 વડાપ્રધાન બન્યાં હોત..: નાઝિયા ઇલાહી

Spread the love

પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં બહુમતનો આંકડો પાર કરી ગયો છે. એનડીએના તમામ ઘટક પક્ષો સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કરવાની વાત કરી રહ્યા છે. આ ચૂંટણીની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, કારણ કે, નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.

પાકિસ્તાનમાં પણ મોદીની જીતની વાતો જોર પકડી રહી છે. પાકિસ્તાની યુટ્યુબરથી લઈને સોહેબ ચૌધરી સુધીની ભારતીય મુસ્લિમ યુવતીએ ભાજપની ચૂંટણી જીતવાનું કારણ આપ્યું છે.

નાઝિયા ઇલાહી ખાને કહ્યું કે, પીએમ મોદીએ જે રીતે દેશ માટે કામ કર્યું છે, તેની જીત નક્કી હતી. સોહેબ ચૌધરીએ એક્ઝિટ પોલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ કહી રહી છે કે એક્ઝિટ પોલમાં ભાજપના આંકડા ખોટા છે, જો કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ અંગે નાઝિયાએ કહ્યું કે જ્યારે બાળકને અભ્યાસમાં ઓછા માર્ક્સ આવે છે ત્યારે તે માત્ર બહાના બનાવે છે. ઘરનું વાતાવરણ સારું ન હતું, ઘરમાં પ્રસંગો હતા વગેરે, આજે વિરોધઓની પણ આ હાલત છે.

સોહેબ ચૌધરીએ કહ્યું કે, અટલ વિહારી બાજપેયીએ પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર બનાવવાનું કહ્યું હતું અને ભાજપે પણ 2014 અને 2019ની ચૂંટણીમાં રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. તેના પર નાઝિયાએ કહ્યું કે વિપક્ષ ભાજપને સતત ચીડવતો હતો કે ‘મંદિર ત્યાં જ બનશે પરંતુ તારીખ નહીં જણાવે.’ હવે જ્યારે મંદિર બની ગયું છે, તેમને તકલીફ થઇ રહી છે.

નાઝિયા ઈલાહી ખાને કહ્યું કે વિરોધ પક્ષોને વોટ ન આપવા પાછળ એક મોટું કારણ છે. ભારતના લોકો જાણતા હતા કે આ ઈન્ડી ગઠબંધનમાં ઘણા બધા પક્ષો છે. જો ઇન્ડિયા ગઠબંધન જીત્યુ હોત તો 2024માં રાહુલ ગાંધી વડાપ્રધાન બને, 2025માં અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન બને અને 2026માં સોનિયા ગાંધી વડાપ્રધાન બને. પાંચ વર્ષ સુધી વડાપ્રધાન આમ જ બદલાતા રહેત. તો શુ થતા. નાઝિયાએ કહ્યું કે, ભારત આજે દરેક બાબતમાં ઘણું આગળ વધી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com