રિટેલ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ સામે લોન લેવાનું વલણ વધી રહ્યું છે

Spread the love

 

 

આજકાલ, રિટેલ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ સામે લોન લેવાનું વલણ વધી રહ્યું છે. તેઓ હવે લાંબા સમય સુધી રોકાણ જાળવવાનું મહત્વ સમજી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા લોકો રોકડની તંગી દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાંથી ઉપાડ લેવાને બદલે લોન લેવાનું પસંદ કરી રહ્યા છે. પહેલાં આવી લોન મેળવવી મુશ્કેલ હતી અને પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી જેમાં ૫ થી ૬ દિવસ લાગતા હતા. પરંતુ આવી લોન હવે ડિજિટલી ઉપલબ્ધ છે, મીરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસીસના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર (સીઈઓ) કળષ્ણ કન્હેયાએ જણાવ્યું. તમે તમારા ઘર કે ઓફિસમાં રહીને ટૂંકા સમયમાં આવી લોન મેળવી શકો છો.

કહૈયાએ જણાવ્યું હતું કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) હેઠળ રોકાણકારો દ્વારા વધેલા યોગદાનથી લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં એક એવી સંપત્તિનું નિર્માણ થયું છે જેને લોન માટે ગીરવે મૂકી શકાય છે. અગાઉ, બજારમાં ઘટાડો થવાથી મોટા પાયે વેચાણ થતું. ધનલેપના સ્થાપક અને સીઈઓ સીઆર ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, બજારમાં મંદી દરમિયાન મોટી સંખ્યામાં લોકો હવે તેમની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ વેચવા માંગતા નથી. મ્યુચ્યુઅલ ફંડ વેચવાને બદલે, તેઓએ તેમની સામે લોન લેવાનું શરૂ કર્યું છે. આ ખાતરી કરે છે કે તેમની સંપત્તિ વધતી રહેશે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સામાન્ય રીતે લાંબા ગાળે ૧૨ થી ૧૫ ટકા ચક્રવળદ્ધિ વાર્ષિક વળદ્ધિ દર (CAGR) ની સંભાવના હોય છે. ક્રેડિટ કડક થવા અને બિન-કોલેટરલાઇઝડ વ્યક્તિગત લોન મેળવવામાં મુશ્કેલીને કારણે, દેવાદારો કોલેટરલાઇઝડ વિકલ્પો તરફ વળ્યા છે. બેંકબજારના સીઈઓ અધિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, વ્યક્તિગત લોન અને ખાસ કરીને નાની લોન મેળવવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે. મિલકત સામે લોનનો ખર્ચ ઓછો હોય છે અને વ્યક્તિગત લોનની તુલનામાં તે સરળતાથી મંજૂર થાય છે. કહૈયાએ કહ્યું કે આ પ્રકારની લોન પર વ્યાજ દર ૧૦ થી ૧૪ ટકા સુધીનો હોય છે. ગ્રાહક પ્રોફાઇલ અથવા લોનના કદને ધ્યાનમાં લીધા વિના, અમે વાર્ષિક ૧૦.૫ ટકા વ્યાજ વસૂલીએ છીએ, તેમણે કહ્યું.

ચંદ્રશેખરે કહ્યું કે ધનલેપ ૧૦.૫-૧૧ ટકા વ્યાજ લે છે. તેમણે કહ્યું, આ લાંબા ગાળે ઇક્વિટી ફંડ્સ પરના ૧૨-૧૫ ટકાના ચક્રવળદ્ધિ વાર્ષિક વળતર કરતાં ઓછું છે. કેટલાક ધિરાણકર્તાઓ ઓવરડ્રાફટ સુવિધાના રૂપમાં આવી લોન પૂરી પાડે છે. કન્હેયાએ કહ્યું, ઋણ લેનારાઓ માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેઓ તેમની જરૂરિયાતો અનુસાર ઉપાડ કરી શકે છે અને તેમના રોકડ પ્રવાહના આધારે ચુકવણી કરી શકે છે. આ માટે કોઈ નિ^તિ માસિક હપ્તો નથી વપરાયેલી રકમ પર દર મહિને વ્યાજ વસૂલવામાં આવે છે. પરંતુ દર મહિને મુદ્દલ ચૂકવવાની જરૂર નથી. ઉધાર લેનાર તેની સુવિધા મુજબ તેને ચૂકવી શકે છે.

વહેલા ચુકવણી પર શૂન્ય શુલ્ક એ બીજો ફાયદો છે. કન્હેયાએ કહ્યું, જો તમે ખાતું બંધ કરો છો, તો કોઈ દંડ લાદવામાં આવતો નથી. લોન સામે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ગીરવે મૂકવાનો અધિકાર ૨૪ કલાકની અંદર રદ કરવામાં આવે છે. બજારના વધઘટને કારણે ગીરવે મુકાયેલી સિકયોરિટીઝનું મૂલ્ય ઘટી શકે છે. આનાથી માર્જિન કોલની પરિસ્થિતિ ઊભી થાય છે. સૌથી ખરાબ સ્થિતિમાં, માર્જિન કોલને પહોંચી વળવા માટે સંપત્તિનો એક ભાગ વેચી શકાય છે, ચંદ્રશેખરે જણાવ્યું હતું. શેટ્ટીએ ચેતવણી આપી હતી કે જો ઉધાર લેનાર ડિફોલ્ટ કરે છે, તો તે તેની સંપત્તિ ગુમાવી શકે છે. ઇક્વિટી ફંડ્સમાંથી મળતું વળતર નિ^તિ નથી. ચંદ્રશેખરે કહ્યું, થોડા વર્ષોમાં, લોન પરનો વ્યાજ દર તમારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાંથી મળતા વળતર કરતા વધારે હોઈ શકે છે.

આ પ્રકારના દેવાથી લાંબા ગાળાના રોકાણકારોને ફાયદો થાય છે. સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) માં રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર અને સહજમનીના સ્થાપક અભિષેક કુમારે જણાવ્યું હતું કે, જો તમારું રોકાણ લક્ષ્ય ૧૦-૧૫ વર્ષનું છે અને તમે તાત્કાલિક કટોકટી અથવા રોકડની તંગીનો સામનો કરી રહ્યા છો, તો તમે આ લોન લઈ શકો છો. EMI-આધારિત સંસ્કરણોમાં, મુદ્દલ અને વ્યાજ માસિક ચૂકવવાના હોય છે. ચંદ્રશેખરે કહ્યું, જેઓ માસિક હપ્તો ચૂકવી શકતા નથી, તેમના માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ વેચવા એ એક સારો વિકલ્પ રહેશે. બજારમાં ઘટાડાની સ્થિતિમાં માર્જિન કોલ્સને પહોંચી વળવા માટે કુમાર વધારાના મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ અથવા રોકડ રાખવાનું સૂચન કરે છે. તેમણે ચેતવણી આપી કે આ લોનનો ઉપયોગ આવેગજન્ય ખરીદી માટે ન થવો જોઈએ. તેમણે ઉધાર લેવાથી બચવા માટે ઇમરજન્સી ફંડ બનાવવાનું પણ સૂચન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *