
ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું વહેલી સવારે 95 વર્ષની વયે નિધન થયું છે તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. 17 મે 1930 ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. તેમણે ઈ.સ.1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે. કુમુદિની લાખિયાએ પહેલા જયપુર ઘરાનાના વિવિધ ગુરુઓ અને પછી શંભુ મહારાજ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું તેઓ ખાસ કરીને તેમના બહુ-કલાકારો ધરાવતા (સામુહિક) કોરિયોગ્રાફી માટે જાણીતા હતા. તેમના સૌથી પ્રસિદ્ધ નિર્દેશન આ મુજબ છે: ધબકાર, યુગલ, અને અંતહ કિમ (ક્યાં હવે?), જે તેમણે 1980માં દિલ્હીમાં વાર્ષિક કથક મહોત્સવ દરમ્યાન રજૂ કર્યા હતા.
તેમણે ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981)માં કોરિયોગ્રાફી કરી હતી. તે કથક નૃત્યકારો અદિતી મંગલદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઇશિરા પરીખ, પ્રશાંત શાહ, ઊર્જા ઠાકોર અને પારુલ શાહ સહિતના ઘણા શિષ્યો ધરાવે છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ ‘કથકમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર ચિંતનશીલ ચિંતક અને પ્રયોગકર્તા વિદુષી કુમુદિની લાખિયા જીવનભર અદમ્ય ઊર્જા સાથે નૃત્ય ક્ષેત્રે સર્જન કરતાં રહ્યા છે. તેમની સર્જનાત્મકતા, જેમણે પોતાના કમ્ફર્ટ ઝોનથી દૂર થઈને પોતાની ઓળખ ઊભી કરી છે. કથક નૃત્ય પર તેની પોતાની મહોર લગાવી છે, જે આજે તેમની અનિવાર્ય અનિવાર્ય બની ગઈ છે! કલાના ક્ષેત્રમાં તેમના મૂલ્યવાન યોગદાન માટે, તેમને પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ‘રત્ન સભ્યપદ’ સહિત ઘણા સન્માનોથી નવાજવામાં આવ્યા છે. ગત પ્રજાસત્તાક દિવસે તેમને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મવિભૂષણની પણ જાહેરાત કરવામાં આવ્યો હતો.