Gj 18 ખાતે ઝૂંપડામાં આગ લાગતા ફાયરબ્રિગેડના કર્મચારી ગંભીર રીતે દાઝી જતા મેયર, શહેર પ્રમુખ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા, ખબર અંતર પૂછીને ડોક્ટર સાથે ચર્ચા કરી હતી
ગતરોજ રાત્રે અંદાજિત 10:30 વાગ્યા આસપાસ ગાંધીનગરના સેક્ટર – 4 ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડને આ અંગેનો કોલ મળતાં તેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ ઓલવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, આ દરમિયાન એકાએક ઝૂંપડાના ગેસ-સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેના પરિણામે ચાર ફાયર-કર્મચારી ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ચાર કર્મચારી પૈકી ત્રણ કર્મચારીઓ વધારે દાઝી ગયેલ હોવાથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની મેયરશ્રી મીરાબેન પટેલને જાણ થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ એ પહોંચી ગયા હતા અને ડોક્ટર તથા સ્ટાફને આ કર્મચારીઓને તમામ સારવાર પૂરી પાડવા માટે જણાવ્યું હતું. ઘટનાની જાણ થયા બાદ તુરંત ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, મેયર મીરાબેન પટેલ દ્વારા ખબર અંતર પૂછીને ડોક્ટર સાથે ચર્ચા કરી હતી