પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત, 20થી વધુ લોકો ઘાયલ

Spread the love

 

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બપોરે થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 28 લોકો માર્યા ગયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બૈસરન ઘાટીમાં બની હતી. તે પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ પહેલા હનીમૂન મનાવવા ગયેલા કપલના યુવકનું નામ પૂછ્યું અને પછી તેને ગોળી મારી દીધી. આ જોઈને યુવકની પત્ની બેભાન થઈ ગઈ. જ્યારે ગોળીબાર કરતા આતંકવાદીઓ ભાગી ગયા. લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. મૃતકોમાં એક ઇટાલિયન અને એક ઇઝરાયલી પ્રવાસીનો સમાવેશ થાય છે, જ્યારે બે સ્થાનિક નાગરિકો હતા. બાકીના પ્રવાસીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના છે. લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *