કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

Spread the love

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના પગલે. બુધવારે ઉત્તરી કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયારો, દારૂગોળો અને અન્ય યુદ્ધ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સેનાના જણાવ્યા અનુસાર, બુધવારે ઉત્તરી કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે, સેનાના સતર્ક જવાનોએ આ પ્રયાસને સફળ થવા દીધો ન હતો અને અથડામણમાં બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. હાલમાં વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ ઉપરાંત, ભારતીય સેનાએ માહિતી આપતા જણાવ્યું હતું કે બુધવારે જ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના એક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. ચિનાર કોર્પ્સ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 23 એપ્રિલ, 2025 ના રોજ, લગભગ બે થી ત્રણ અજાણ્યા આતંકવાદીઓએ ઉરી નાલા, બારામુલા (ઉત્તરી કાશ્મીરમાં) માં સરજીવનના સામાન્ય વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સેનાએ જણાવ્યું કે એલઓસી પર તૈનાત સતર્ક સૈનિકોએ ઘૂસણખોરોને પડકાર્યા અને તેમને રોક્યા, જેના પરિણામે ગોળીબાર થયો હતો. હાલમાં આ વિસ્તારમાં પણ ઓપરેશન ચાલુ છે. નોંધનીય છે કે આ ઘૂસણખોરીનો પ્રયાસ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે થયેલા ઘાતક આતંકવાદી હુમલાના 24 કલાકથી પણ ઓછા સમયમાં કરવામાં આવ્યો છે, જેમાં મોટાભાગના પ્રવાસીઓ સહિત ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાઓએ સરહદ પર અને અંદરની સુરક્ષાની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *