બાબાનો ભીષ્મ શ્રૃંગાર શું છે, જેને કરવામાં 5 કલાક લાગે છે?

Spread the love

કપાટ ખૂલ્યાં પછી ભીષ્મનો શણગાર દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા પણ રસપ્રદ છે. સૌપ્રથમ, શિવલિંગ પાસે રાખેલા મોસમી ફળો અને સૂકાં ફળોના ઢગલા દૂર કરાય છે. આને આર્ઘા કહેવાય છે. પછી તેઓ બાબાને ચઢાવવામાં આવેલી 1થી 12 મુખી રુદ્રાક્ષના માળા કાઢે છે. આ પછી શિવલિંગની આસપાસ વીંટાળેલું સફેદ સુતરાઉ કાપડ દૂર કરવામાં આવે છે. કપાટ બંધ કરતી વખતે શિવલિંગ પર 6 લિટર શુદ્ધ ઘીનું લેપન કરવામાં આવે છે જે આ સમયે એકઠું થાય છે અને ધીમે ધીમે શિવલિંગમાંથી બહાર કાઢવામાં આવે છે. આ પછી શિવલિંગને ગંગાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. ગૌમૂત્ર, દૂધ, મધ અને પંચામૃતથી સ્નાન કર્યા પછી બાબા કેદારને નવાં ફૂલો, ભસ્મ અને ચંદનનાં તિલકથી તૈયાર કરવામાં આવે છે. કપાટ બંધ કરતી સમયે ભીષ્મ શ્રૃંગારમાં લગભગ 5 કલાકનો સમય લાગે છે, પરંતુ કપાટ ખોલતી વખતે એ અડધા કલાકમાં દૂર થઈ જાય છે. સવારે 7:30 વાગ્યાથી ભક્તોને ગર્ભગૃહમાં મોકલવાનું શરૂ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *