ઓપરેશન પહેલા રાત્રે આવ્યો છેલ્લો ફોન, અને સવારે મળ્યા દુઃખદ સમાયાર, શહીદ દિનેશ શર્માના ગામમાં છવાયો શોકનો માહોલ

Spread the love

 

પહેલગામ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના POK માં આતંકી ઠેકાણા પર હુમલો કર્યો. આ કાર્યવાહીમાં હરિયાણાના પલવલ જિલ્લાના મોહમ્મદપૂર ગામના રહેવાસી જવાન દિનેશ શર્મા શહીદ થઈ ગયા. તેમના શહીદ થયાના સમાચાર સાંભળીને આખા ગામમાં માતમનો મહોલ છે. મીડિયા સાથે વાતચીતમાં દિનેશ શર્માના પિતા દયચંદ શર્માએ જણાવ્યું કે તેમના પાંચ દીકરા હતા, જેમાંથી ત્રણ સેવામાં હતા. દિનેશ શર્મા સૌથી મોટો દીકરો હતો, જે બોર્ડર પર શહીદ થઈ ગયા. દિનેશ શર્માના બે ભાઈ સેનામાં છે, ત્યારે તેમનો પિતરાઈ ભાઈ મુકેશ પણ સેવાની મેડિકલ વિગમાં છે, જે દિનેશ શર્માના શહીદ થવાના સમાચાર મળતા, પોતાના વૈતૃક ગામ ભાઈને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા છે. દિનેશ શર્માના પિતરાઇ ભાઈએ જણાવ્યું કે દિનેશ સેનાની આર્ટિલરી ડિવિઝન 5 મીડિયમમાં તૈનાત હતા. દુશ્મન સૈનિકો દ્વારા કરાયેલી ફાયરિંગ દ્વારા ઇજાગ્રસ્ત થયા હતા, જે બાદ તેમની સારવાર દરમિયાન જીવ જતો રહ્યો. દિનેશ શર્માને નાના ભાઈ પુષ્પન્દ્રએ કહ્યું કે બે દિવસ ભાઈ સાથે વાત થઈ હતી, ત્યારે તેમણે પરિવારજની પરિસ્થિતિ પૂછી હતી. દિનેશના નજીકના મિત્ર પ્રદીપે જણાવ્યું કે દિનેશ ગઈ રાત્રે 10:30 વાગ્યે ઓપરેશન પર ગયા તે પહેલા વાત થઈ રહી હતી અને કહ્યું હતું કે તે ઓપરેશન માટે જઈ રહ્યા છે. પ્રદીપને એમ કહેતા ફોન કાપવા માટે કહ્યું કે કે ઓપરેશન દરમિયાન ફોનની લાઇટથી સમસ્યા થશે, આપણે પછી વાત કરીશું. આ બાદ રાત્રે 3 વાગ્યે પણ દિનેશનો ફોન આવ્યો, પરંતુ ફોન ન ઉપાડી શક્યા. આ બાદ સવારે વળતો ફોન કર્યો ત્યારે દિનેશના સાથીએ ફોન ઉપાયો અને જણાવ્યું કે ધમાકામાં દિનેશ શર્મા ઘાયલ થઈ ગયા છે, તેમણે ઇજા થઈ છે અને સારવાર માટે લાવવામાં આવ્યા છે. આ બાદ દિનેશના બલિદાનની સૂચના મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *