ઓપરેશન સિંદૂર મામલે સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનો ખુલાસો – ઓપરેશન સિંદૂર ચાલુ છે, જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત પણ સામે જવાબ આપશે.

Spread the love

 

પહેલગામમાં હુમલાને લઈને ભારતે જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાનમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરી આતંકવાદીઓના ઠેકાણાઓને તબાહ કરી દીધા. આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આજે આ મામલે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતના હુમલામાં 100 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત પણ સામે જવાબ આપશે.

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે રાજકીય નેતાઓએ કાર્યવાહી માટે સેનાને અભિનંદન આપ્યા છે. રાજકીય પક્ષો લોકોનો અવાજ છે અને નેતાઓ એક અવાજમાં બોલી રહ્યા છે. મને લાગે છે કે આ પણ આપણી સફળતાઓમાંની એક છે. ઓપરેશન સિંદૂરના પહેલા હુમલા પછી શું ચાલી રહ્યું છે તે કહેવું યોગ્ય નથી અને તેથી અધિકારીઓને બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા.

સર્વપક્ષીય બેઠક અંગે કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે આ સંકટની ઘડીમાં સરકારની સાથે છીએ. અમે કેન્દ્ર સરકારની વાત સાંભળી. તેમણે એમ પણ કહ્યું કે કેટલીક ગુપ્ત માહિતી બહાર શેર કરી શકાતી નથી. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે.

સર્વપક્ષીય બેઠક બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મારા માટે સૌથી મોટી વાત એ છે કે બહાવલપુર અને મુરીદકે બે આતંકવાદી સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો. પુંછમાં જીવ ગુમાવનારા લોકોને આતંકવાદ પીડિત જાહેર કરવા જોઈએ અને સરકારે તેમને વળતર આપવું જોઈએ. કારણ કે પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘનને કારણે તેમણે બધું ગુમાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *