કોરોનાની નવી લહેર વચ્ચે WHOની ચેતવણી, નવા વેરિઅન્ટને લઈ કહી ચિંતાજનક વાત

Spread the love

 

Covid-19 : ભારતમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે. મોટાભાગના કેસ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી આવી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસે ફરી એકવાર રફ્તાર પકડી છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે.

મોટાભાગના કેસ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી આવી રહ્યા છે. દિલ્હી અને ગુજરાતમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કોરોનાના બે નવા વેરિંએન્ટ NB.1.8.1 અને LF.7 અંગે ચેતવણી જારી કરી છે.

WHO એ NB.1.8.1 ને “વેરિઅન્ટ ઓફ મોનિટરિંગ” ની શ્રેણીમાં મૂક્યું છે, જેનો અર્થ છે કે આ પ્રકારને હવે ખાસ નજર રાખવાની જરૂર છે. જોકે તેને હજુ સુધી ગંભીર કે જીવલેણ માનવામાં આવ્યું નથી, પરંતુ તેની ઝડપથી ફેલાવાની ક્ષમતા ચોક્કસપણે ચિંતાનો વિષય બની ગઈ છે.

નવા પ્રકારો અને નવા લક્ષણો

નિષ્ણાતોના મતે NB.1.8.1 અને LF.7 બંને ઓમિક્રોનના પેટા પ્રકારો છે અને તેમાં કેટલાક નવા પરિવર્તનો જોવા મળ્યા છે જે તેમને વધુ ચેપી બનાવી રહ્યા છે. આ પ્રકારોથી સંક્રમિત દર્દીઓમાં કેટલાક નવા અને ચોંકાવનારા લક્ષણો જોવા મળી રહ્યા છે. ડોક્ટરોના મતે આ વખતે દર્દીઓ સતત ઉધરસ, ગળામાં તીવ્ર દુખાવો, માથાનો દુખાવો, થાક, ભૂખ ન લાગવી અને પેટની સમસ્યાઓ જેવી કે ઝાડા અને ઉલટીની ફરિયાદ કરી રહ્યા છે. જોકે શ્વાસ લેવામાં તકલીફ અથવા ઓક્સિજનનો અભાવ જેવા ગંભીર લક્ષણો હાલમાં દેખાઈ રહ્યા નથી.

ક્લીનચીટ /

સામાન્ય લોકોએ શું કરવું જોઈએ?

ડોક્ટરો કહે છે કે હાલમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈને હળવી ઉધરસ, ગળામાં દુખાવો અથવા અચાનક થાક લાગતો હોય, તો ચોક્કસપણે પરીક્ષણ કરાવો અને પોતાને અલગ કરો. ઉપરાંત, માસ્ક પહેરવું, હાથ ધોવા અને ભીડથી દૂર રહેવું પહેલા જેટલું જ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *