GSTમાં ફેરફારો કરવા કેન્દ્રીય ગૃહમંત્રી મેદાને ઉતર્યા

Spread the love

 

 

 

કેન્દ્રની મોદી સરકાર જીએસટી સિસ્ટમમાં ધરખમ ફેરફારો કરવા જઈ રહ્યા છે જે અંતર્ગત હિતધારકો સાથે સર્વ સંમતિ કેળવવા માટે સરકારે જવાબદારી ગૃહમંત્રી શાહને સુપરત કરી છે અને તેઓ ટુંક સમયમાં બેઠકોના દોર શરૂ કરવા જઈ રહ્યાં છે, એવા નિર્દેશો મળે છે કે મોદી સરકાર જીએસટી અમલે કંઇક નવા ધડાકા કરવા જઇ રહી છે.
કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહ GST સિસ્ટમમાં મોટા ફેરફારો માટે સર્વસંમતિ બનાવવા માટે તમામ હિતધારકો રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો સાથે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય વિવાદિત મુદ્દાઓને ઉકેલવાનો અને પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ ૧૨% ટેક્સ સ્લેબને નાબૂદ કરવાનો છે, જે લાંબા સમયથી પેન્ડિંગ છે. આ અંતર્ગત, કેટલીક વસ્તુઓને પ% સ્લેબમાં અને કેટલીકને ૧૮% સ્લેબમાં ખસેડવામાં આવશે. જોકે આનાથી વ્ના જટિલ બહુ—દર માળખાને સરળ બનાવવામાં આવશે, પરંતુ એવો અંદાજ છે કે કેન્દ્ર અને રાજ્યોને મળીને લગભગ ૭૦,૦૦૦-૮૦,૦૦૦ કરોડ રૂપિયાનું મહેસૂલ નુકસાન થશે GST ને એક મોટા સુધારા તરીકે જોવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આવકમાં જે રીતે વધારો થયો છે તે જોતાં, એવું માનવામાં આવે છે કે હવે બધા રાજ્યોએ કરવેરા પ્રક્રિયાને સ્વીકારી લીધી છે. પરંતુ હવે આટલા વર્ષો પછી, અહીં પણ કેટલાક મોટા ફેરફારોની જરૂર છે. આવો જ એક ફેરફાર વ્ના સરળીકરણ અંગે છે, જેમાં ટેક્સ સ્લેબ ઘટાડવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૨ ટકાના ટેક્સ સ્લેબને દૂર કરવો જોઈએ.હવે આ પાસા પર પહેલા પણ ચર્ચા થઈ છે, પરંતુ કયારેય સર્વસંમતિ થઈ શકી નથી અને તેથી તેનો અમલ થઈ શક્યો નથી. હવે તે સર્વસંમતિ બનાવવા અને આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવા માટે, ગળહમંત્રી અમિત શાહ એક્શનમાં આવવાના છે. તેમની ચર્ચાઓ રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયોના હિસ્સેદારો સાથે શરૂ થવાની છે. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ છે, તો ગળહમંત્રી અમિત શાહ ચર્ચામાં કેવી રીતે જોડાઈ રહ્યા છે?
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, GSTના ૮ વર્ષ પછી સિસ્ટમ સ્થિર થઈ ગઈ છે, તેથી પરિવર્તન સરળ રહેશે નહી. કોઈપણ રાજ્ય, પછી ભલે તે વિપક્ષ શાસિત હોય કે ભાજપ શાસિત, આ દરખાસ્તોને સરળતાથી સ્વીકારશે નહીં. આવકનું નુકસાન એક મોટી ચિંતા છે. તેથી, અમિત શાહ પહેલાથી જ રાજ્યો સાથે વ્યાપક ચર્ચા કરવાનું આયોજન કરી રહ્યા છે. તેમણે ગયા અઠવાડિયે નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી.
હકીકતમાં, જ્યારે પાર્ટી લાઇનની બહાર કોઈપણ રાજકીય મુદ્દા પર સર્વસંમતિ બનાવવાની વાત આવે છે. ત્યારે અમિત શાહની મદદ લેવામાં આવે છે. આ પહેલા પણ અમિત શાહ ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર સક્રિય જોવા મળ્યા છે. મોદી સરકારમાં તેમનું કદ ખૂબ મોટું અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અગાઉ પણ, જ્યારે વિનિવેશ અને ફુગાવાની ચર્ચા થવાની હતી, ત્યારે શાહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સંદર્ભમાં, હવે તેઓ GST અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છે.
વાસ્તવમાં, ૧૨% સ્લેબ નાબૂદ કરવા માટે ચર્ચા ચાલી રહી છે; વસ્તુઓ ફરીથી ૫% અને ૧૮% સ્લેબમાં ખસેડવામાં આવશે. આ રીતે ફક્ત ત્રણ ટેક્સ સ્લેબ જ રહેશે. એ અલગ વાત છે કે સરકાર પણ જાણે છે કે આટલા મોટા ફેરફારને કારણે, થોડા સમય માટે મહેસૂલનું મોટું નુકસાન થશે; નુકસાન ૭૦ થી ૮૦ હજાર રૂપિયા સુધી થઈ શકે છે. આ નુકસાનના પરિબળને કારણે, દરેક રાજ્ય આ માટે તૈયાર નથી.
જીએસટી દરો અંગેનો વિવાદ સુરક્ષા વીમા પ્રીમિયમ સાથે પણ જોડાયેલો છે. જ્યારે બે રાજ્યો તેને સંપૂર્ણપણે કરમુક્ત ઇચ્છે છે. ત્યારે કેટલાક તેના પર ૫ ટકા સુધીનો GST ઇચ્છે છે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી સર્વસંમતિ ન બને ત્યાં સુધી આવા નિર્ણયો લેવા મુશ્કેલ છે. હવે સરકાર ગળહમંત્રી અમિત શાહ દ્વારા આ મૂંઝવણનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
જ્યારે પણ નાણાં પ્રધાન સિવાય કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર પડે છે. ખાસ કરીને રાજકીય રીતે સંવેદનશીલ બાબતોમાં, ત્યારે અમિત શાહ તેમાં સામેલ થાય છે. અગાઉ પણ તેમણે વિનિવેશ અને ખાદ્ય ફુગાવા જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વર્તમાન GST માં અનેક દરો છે – 0%, ૫%, ૧૨%, ૧૮% અને ૨૮%, લક્ઝરી વસ્તુઓ પર સેસ અને કિંમતી ધાતુઓ માટે ખાસ જોગવાઈઓ ઉપરાંત. દરોને સરળ બનાવવાનો પ્રસ્તાવ ઘણા રાજ્યોને પસંદ નથી ઉદાહરણ તરીકે, બે વિપક્ષી રાજ્યોએ જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર GST ૧૮% થી ઘટાડીને ૫% કરવાની માંગ કરી છે, જ્યારે કેટલાક તેને સંપૂર્ણપણે કરમુક્ત કરવા માંગે છે.
જીએસટી કાઉન્સિલ એક જ બેઠકમાં મોટા ફેરફારો પસાર કરી શકશે નહીં. આ નિર્ણયો મતદાન માટે પણ મુકાઈ શકે છે, તેથી વ્યાપક સર્વસંમતિ જરૂરી છે. છેલ્લા ચાર વર્ષથી દર સરળીકરણની ચર્ચા ચાલી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૧ માં, કાઉન્સિલે આની જરૂરિયાત સ્વીકારી, પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૪ માં, ૧૨% સ્લેબ જાળવી રાખવાનો પ્રસ્તાવ આવ્યો, જે સ્લેબ ઘટાડવાના લક્ષ્યની વિરુદ્ધ હતો. હવે આ અંગે પુનર્વિચાર કરવામાં આવશે.
૧૨% અના સ્લેબમાં પેકેજ્ડ ખાદ્ય પદાર્થો (કન્ડેન્સ્ડ દૂધ, સૂકા ફળો, સોસેજ, ફળોના રસ), ઘરગથ્થુ સામાન (કપાસ, શણની થેલીઓ, ફર્નિચર, સીવણ મશીન) અને તબીબી ઉત્પાદનો (તબીબી ઓક્સિજન, પાટો, ડાયગ્નોસ્ટિક કીટ) નો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૩-૨૪ના ડેટા મુજબ, GST આવકનો ૭૦-૭૫% હિસ્સો ૧૮% સ્લેબમાંથી આવે છે, જ્યારે ૧૨% સ્લેબ ફક્ત ૫-૬% ફાળો આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *