ભારતનો સૌથી ગરીબ જિલ્લો કયો ? સાક્ષરતા દર સૌથી ઓછો અને શિક્ષણનો અભાવ, નામ જાણશો તો તમે દંગ રહી જશો

Spread the love

દેશનો આ જે ગરીબ જિલ્લો છે, તેની 71% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. જણાવી દઈએ કે, આ જિલ્લો એક નાના ગામ જેવો દેખાય છે. અહીંની કુલ વસ્તી લગભગ 7 લાખ 28 હજાર છે. લોકોનું જીવન ખેતી અને મજૂરી પર નિર્ભર છે પરંતુ સંસાધનોની ભારે અછતને કારણે આવક ખૂબ ઓછી છે.

આ જિલ્લાની બીજી મોટી સમસ્યા શિક્ષણનો અભાવ છે. અહીં સાક્ષરતા દર માત્ર 36% છે, જે ભારતના કોઈપણ જિલ્લામાં સૌથી ઓછો છે.

શાળાઓનો અભાવ, અભ્યાસ સંસાધનોનો અભાવ અને જાગૃતિનો અભાવ આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, દેશનો આ ગરીબ જિલ્લો કયો છે.

 

આ જિલ્લાનું નામ અલીરાજપુર છે. આ જિલ્લો મધ્યપ્રદેશમાં આવેલો છે અને મીડિયા રિપોર્ટસના અહેવાલ મુજબ, આને ભારતનો સૌથી ગરીબ જિલ્લો માનવામાં આવ્યો છે.

 

અલીરાજપુર એક આદિવાસી બહુલ જિલ્લો છે, જ્યાં આજે પણ લોકો આધુનિક ખેતી કે રોજગારના નવા માધ્યમોથી દૂર છે. વીજળી, પાણી, રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ પણ અહીં નિયમિતપણે ઉપલબ્ધ નથી. આધુનિક ટેકનોલોજી, ખેતીના સાધનો અને સરકારી યોજનાઓને લઈને પણ ભારે અભાવ છે.

 

અલીરાજપુરના વિકાસ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે પરંતુ જમીન સ્તરે વાસ્તવિક સુધારો હજુ ઘણો દૂર છે. અહીંના લોકોને વધુ સારું શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને રોજગારની જરૂર છે જેથી તેઓ ગરીબીના આ ચક્રમાંથી બહાર આવી શકે. જ્યાં સુધી આ મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થાય ત્યાં સુધી અલીરાજપુર દેશનો સૌથી ગરીબ જિલ્લો રહેશે.

 

અલીરાજપુર સિવાય શ્રાવસ્તી, બહરાઇચ અને બલરામપુર (ઉત્તર પ્રદેશ) પણ ભારતના સતત સૌથી ગરીબ જિલ્લાઓમાં સ્થાન પામતા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *