પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મૂસા ઠાર કરવામાં આવ્યો

Spread the love

 

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન નજીક હરવાન વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. આમાં પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસાનો પણ સમાવેશ થાય છે. સેનાએ ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ આ કાર્યવાહી કરી હતી. બાકીના બે આતંકવાદીઓની ઓળખ જિબ્રાન અને હમઝા અફઘાની તરીકે થઈ છે. જિબ્રાન 2024ના સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ પરના હુમલામાં સામેલ હતો. આતંકવાદીઓ પાસેથી અમેરિકન M4 કાર્બાઇન, AK-47, 17 રાઇફલ અને ગ્રેનેડ મળી આવ્યા છે. કેટલીક અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે. સેના મંગળવારે ઓપરેશન મહાદેવ અંગે માહિતી આપી શકે છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પાકિસ્તાની આતંકવાદીઓને માર્યા ગયાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસ-પ્રશાસન આ અંગે સંપૂર્ણ માહિતી આપશે. હું સેના, પોલીસ અને આ કાર્યવાહીમાં સામેલ તમામ લોકોને અભિનંદન આપું છું. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક અઠવાડિયા પહેલા સુરક્ષા દળોને શ્રીનગરના દાચીગામ જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ આતંકવાદીઓએ હુમલા પછી પહેલીવાર ચીની અલ્ટ્રા કોમ્યુનિકેશન સેટને ફરીથી સક્રિય કર્યો હતો. તે જ સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ કરવામાં આવ્યા હતા. આ પછી, સુરક્ષા દળોએ આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આજે સવારે લગભગ 11:30 વાગ્યે, 24 રાષ્ટ્રીય રાઇફલ્સ અને 4 પેરા યુનિટના સૈનિકોની ટુકડીએ અદ્યતન ઉપકરણોનો ઉપયોગ કરીને આતંકવાદીઓનું સ્થાન શોધી કાઢ્યું અને ત્યાં હાજર ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા.
હુમલા બાદ હાથ ધરાયેલી તપાસમાં ત્રણ આતંકવાદીનાં નામ બહાર આવ્યાં હતાં. 24 એપ્રિલના રોજ અનંતનાગ પોલીસે 3 સ્કેચ જાહેર કર્યા હતા. ત્રણેય આતંકવાદીનાં નામ અનંતનાગના આદિલ હુસૈન ઠોકેર, હાશિમ મૂસા ઉર્ફે સુલેમાન અને અલી ઉર્ફે તલ્હા ભાઈ હતા. મૂસા અને અલી પાકિસ્તાની છે. મૂસા પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં કમાન્ડો રહી ચૂક્યો છે. તેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે NIA દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીએ આ ત્રણ આતંકવાદીનાં નામ જાહેર કર્યાં છે કે અન્ય કોઈ આતંકવાદીઓનાં. ભારતે 6-7 મેની રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો. તેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું. આમાં 9 આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યાં હતાં, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના 10 સભ્ય અને 4 સહયોગી માર્યા ગયા હતા. ભારતે 24 મિસાઇલો છોડી હતી.
હૈદરાબાદના નાગોલે સ્ટેડિયમમાં બેડમિન્ટન રમતી વખતે 25 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું. મૃતક રાકેશ હૈદરાબાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. ટેનિસ રમતી વખતે રાકેશ અચાનક કોર્ટ પર પડી ગયો. તેના મિત્રો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં ડોક્ટરોએ કહ્યું હતું કે મૃત્યુનું કારણ હાર્ટ-એટેક હતું. 25 વર્ષીય રાકેશ રોજ બેડમિન્ટન રમતો હતો. મિત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાકેશને કોઈ શારીરિક સમસ્યા નહોતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. રમતાં, ચાલતાં, મિત્રો સાથે વાત કરતાં લોકોનાં અચાનક મૃત્યુ થયાં છે. આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. દર વર્ષે વિશ્વભરમાં 1.7 કરોડ લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે લગભગ 30 લાખ લોકો કાર્ડિયો વેસ્ક્યુલર રોગોનો ભોગ બને છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશમાં કુલ હૃદયરોગના હુમલાના 50% કેસ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો અને 25% કેસ 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે. 2000થી 1016ની વચ્ચે આ યુવા વય જૂથમાં હૃદયરોગના હુમલાનો દર વર્ષે 2% વધ્યો છે.
ભારતમાં આ સમયે હૃદયરોગ અને ડાયાબિટીસનો રોગચાળો ફેલાયો છે. યુવાનો પણ એનો શિકાર બની રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે હૃદયરોગનો હુમલો અચાનક કોઈ પણ લક્ષણો વિના આવે છે અને હોસ્પિટલ પહોંચતાં પહેલાં મૃત્યુ થાય છે. ઘણા કિસ્સાઓમાં હૃદયરોગના હુમલા પહેલાં લક્ષણો દેખાય છે, જેમ કે છાતીમાં દુખાવો, ભારેપણું અને જડતા, એસિડિટી જેવું અનુભવવું, ડાબા ખભા અથવા ડાબા હાથમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ. તમાકુનો ઉપયોગ હૃદયરોગ માટે સૌથી મોટા જોખમી પરિબળોમાંનું એક છે. 30થી 44 વર્ષની વયના લોકોમાં 26% હૃદયરોગ તમાકુના ઉપયોગને કારણે થાય છે. ઉપરાંત નબળી ઊંઘની રીત અને તણાવ આ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે. ભારતમાં 70 મિલિયનથી વધુ લોકોને ડાયાબિટીસ છે. આમાં ઘણા યુવાનોનો પણ સમાવેશ થાય છે. આનાથી ભારતીય વસતિમાં હૃદયરોગના હુમલાનું જોખમ વધે છે.
જીવનશૈલીમાં ફેરફાર કરીને અકાળ હૃદયરોગના હુમલાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. ચાલવું, સાઇકલ ચલાવવી, જોગિંગ અને તરવું હૃદયરોગના હુમલાનું જોખમ 30% ઘટાડે છે. વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 10,000 પગલાં ચાલવું જોઈએ. જંક ફૂડને બદલે વ્યક્તિએ સ્વસ્થ ખોરાક લેવો જોઈએ, જેમાં શાકભાજી, ફળો, બદામ, સોયા અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ફાસ્ટ ફૂડ, ચિપ્સ, બિસ્કિટ વગેરેમાં ટ્રાન્સ ફેટી એસિડનો ઉપયોગ થાય છે, તેથી આ ટાળવાં જોઈએ. તમાકુ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. સમય વ્યવસ્થાપન શીખવું જોઈએ. આજકાલ લોકો લેપટોપ અને ડેસ્ક પર વધુ સમય વિતાવે છે, તેથી યોગ અને કસરત હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત સાવચેતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. યુવાનોએ નિયમિતપણે તેમના હૃદયની તપાસ કરાવવી જોઈએ, જેથી સમયસર અવરોધ શોધી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *