કર્ણાટક સરકારનું SC માટે આંતરિક અનામત લાગુ કરવા ઐતિહાસિક પગલું

Spread the love

 

 

કેબિનેટે આ રિપોર્ટ સ્વીકાર કરવાનો ર્નિણય લીધો છે, પરંતુ તેમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિઓ (SC) માટે આંતરિક અનામત લાગુ કરવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. આ ર્નિણય લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓને સંતોષવા માટે લેવામાં આવ્યો છે, ખાસ કરીને SC-ST (મદિગા) અને SC રાઈટ (હોલેયા) સમુદાયોની માંગણીઓને ધ્યાનમાં રાખીને. નવા ફોર્મ્યુલા મુજબ, ૧૭% અનામતમાંથી ૬% SC-ST સમુદાય માટે, તેમજ ૬% SC રાઈટ સમુદાય માટે અને બાકીના ૫% લંબાણી, ભોવી, કોરચા, કોરમા જેવી અન્ય પેટા-જાતિઓ માટે નક્કી કરવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિઓમાં આંતરિક અનામતને મંજૂરી આપ્યાના એક વર્ષ પછી આ ર્નિણય લેવાયો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગેનો વટહુકમ ચોમાસુ સત્ર પછી બહાર પાડવામાં આવશે અને કઈ કેટેગરીને પ્રાધાન્યતા મળશે તે સ્પષ્ટ કરવામાં આવશે.
જાેકે, દલિત અધિકાર અને સવર્ણ જાતિઓ સમક્ષ ઝૂકીને, રાજ્ય કેબિનેટે નિવૃત્ત ન્યાયાધીશ એચ.એન. નાગમોહન દાસના વડપણ હેઠળના એક-સભ્ય કમિશને કરેલી ભલામણોને રદ કરી દીધી છે. કમિશને સૌથી વધુ ગેરલાભમાં રહેલી વિચરતી જાતિઓ માટે ૧% અને આદિ કર્ણાટક, આદિ દ્રવિડ અને આદિ આંધ્ર માટે ૧% અનામતની ભલામણ કરી હતી. ૪ ઓગસ્ટે પોતાનો અહેવાલ સુપરત કરનાર આ કમિશને દલિત અધિકાર માટે ૫%, દલિત ડાબેરી માટે ૬% અને સવર્ણ જાતિઓ માટે ૪% અનામતની ભલામણ કરી હતી.
આ ર્નિણય સુપ્રીમ કોર્ટના ૧ ઓગસ્ટ, ૨૦૨૪ના ચુકાદા પછી શક્ય બન્યો છે, જેમાં રાજ્યોને અનુસૂચિત જાતિઓની અંદર પેટા-વર્ગીકરણ કરવાની સત્તા આપવામાં આવી હતી. કર્ણાટકમાં અનુસૂચિત જાતિઓની કુલ ૧૦૧ પેટા-જાતિઓ છે, જેમાં મદિગા (SC-ST) અને હોલેયા મુખ્ય છે. મદિગા સમુદાય સામાજિક-આર્થિક રીતે પછાત છે અને હાલના અનામતનો લાભ મુખ્યત્વે સ્પૃશ્ય જાતિઓ અને હોલેયા સમુદાયને મળે છે.
નાગમોહન દાસ આયોગે મે થી જુલાઈ ૨૦૨૫ દરમિયાન એક મોટો સર્વે કર્યો, જેમાં કર્ણાટકની અંદાજિત ૧.૧૬ કરોડ અનુસૂચિત જાતિની વસ્તીમાંથી ૯૩% લોકોને આવરી લેવામાં આવ્યા. આ સર્વેમાં ૨૭.૨૪ લાખ પરિવારોના ૧.૦૭ કરોડ લોકોના આંકડા ભેગા કરવામાં આવ્યા. આયોગે ૪ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી સિદ્ધારામૈયાને પોતાનો ૧૭૬૬ પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેને ૭ઓગસ્ટના રોજ મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. મંત્રીમંડળે આયોગનો રિપોર્ટ સ્વીકાર કર્યો, પરંતુ તેમાં કેટલાક ફેરફારો કર્યા. હરિયાણામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC-ST) માટેનું ર૦% આરક્ષણ બે ભાગમાં વહેંચાયેલું છે. આમાં, ૧૦% ક્વોટા વંચિત અનુસૂચિત જાતિઓ માટે અને ૧૦% ક્વોટા અન્ય અનુસૂચિત જાતિઓ માટે નક્કી કરવામાં આવ્યો છે. આ રીતે, દલિત વર્ગમાં વધુ પછાત જાતિઓને ૧૦% આરક્ષણ આપવામાં આવી રહ્યું છે, જે કુલ ૨૦% ક્વોટાનો ભાગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *