
મગજ ખાનાર પરોપજીવી ચેપ એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસએ આ વર્ષે કેરળમાં તબાહી મચાવી છે. એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસ, ત્રણ મહિનાના બાળક, પર વર્ષના પુરુષ અને ૧૭ અન્ય લોકોના જીવ લીધા છે. આ મૃત્યુ પર શોક કેરળ વિધાનસભામાં ગુસ્સામાં ફેરવાઈ ગયો. વિપક્ષે ન્ઝજ સરકાર પર આરોગ્યસંભાળ વ્યવસ્થાના પતનનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફે સ્થગિત પ્રસ્તાવ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે આ વર્ષે આ દુર્લભ ચેપથી ૧૯ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં ગયા અઠવાડિયે તિરુવનંતપુરમની લતાકુમારીનો પણ સમાવેશ થાય છે. નોટિસમાં સરકાર પર સ્થાનિક જાગૃતિ અભિયાનોની અવગણના કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સ્થિર પાણીના સંપર્કમાં આવનારાઓ સૌથી વધુ જોખમમાં છે, પરંતુ સરકાર આની અવગણના કરી રહી છે. તેમણે કમળો, ડેન્ગ્યુ, લેપ્ટોસ્પાયરોસિસ, ટાઇફોઇડ અને ઝાડાના વધતા જતા કેસ તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે આ પરિસ્થિતિને જાહેર આરોગ્ય વ્યવસ્થાપનના પતન તરીકે વર્ણવી હતી.
પ્રાથમિક એમોબિક મેનિન્ગો એન્સેફાલીટીસ દુર્લભ છે. વૈશ્વિક સ્તરે, અત્યાર સુધીમાં ૫૦૦ થી ઓછા કેસ નોંધાયા છે. તેમ છતાં, કેરળમાં ૧૨૦ થી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી ૬૮ આ વર્ષે બન્યા છે. ચેપ ત્યારે થાય છે જ્યારે દૂષિત મીઠા પાણી નાકમાં પ્રવેશ કરે છે, જેના કારણે અમીબા સાઇનસ દ્વારા મગજમાં જાય છે અને પેશીઓનો નાશ કરે છે.
૧ સપ્ટેમ્બરના રોજ, કોઝિકોડ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક શિશુ અને એક મહિલાનું મૃત્યુ થયું. પ્રિન્સિપાલ કેજી સજીત કુમારે જણાવ્યું હતું કે તેઓ આયાતી દવા મિલ્ટેફોસીન સહિત શ્રેષ્ઠ શક્ય સારવાર આપી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને એક જ નેગ્લેરિયા ફાઉલેરી સ્ટ્રેનથી ચેપગ્રસ્ત હતા. સરકારે જલામુ જીવન (પાણી જીવન છે) નામનું રાજ્યવ્યાપી ક્લોરિનેશન અભિયાન શરૂ કર્યું છે, જેમાં કુવાઓ, સ્વિમિંગ પુલ અને તળાવોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના વીડી સતીસને આકરા પ્રહારો કર્યા, કહ્યું કે ૧૫ દિવસમાં આઠ લોકો મૃત્યુ પામ્યા છે. પ્રોટોકોલ શું છે? લોકોએ શું કરવું જોઈએ? એક બાળક પણ ચેપગ્રસ્ત હતું- શું તે બાળક સ્વિમિંગ પુલમાં હતું? આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જ ડેટાનો જવાબ આપતાં આરોપોને બદનક્ષીભર્યા ગણાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આરોગ્ય ક્ષેત્રને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ દાવો કરે છે કે સરકારી હોસ્પિટલોની બહાર સારવાર સસ્તી છે. તેઓ કોને મદદ કરી રહ્યા છે?
સતીસને જ્યોર્જ પર જવાબદારી ટાળવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કેરળની આરોગ્ય સ્થિતિ વેન્ટિલેટર પર છે, છતાં મંત્રી જૂના ડેટા પાછળ છુપાઈ રહ્યા છે. ૨૦૧૬-૧૭માં પ્રતિ વ્યક્તિ આરોગ્ય ખર્ચ રૂા.૫,૪૧૯ થી વધીને રૂા. ૭,૮૮૯ થયો. પગલાં લેવાને બદલે, રાજ્ય સરકાર જીવ ગુમાવ્યા પછી જ પ્રતિક્રિયા આપે છે.