નવરાત્રિમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે

Spread the love

 

અમદાવાદમાં નવરાત્રિના તહેવારને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં થલતેજ ગામ, વસ્ત્રાલ ગામ, કોટેશ્વર રોડ અને એ.પી.એમ.સી. ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે. ગાંધીનગર માટે મોટેરાથી સેક્ટર-1 જવા માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે તથા સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મધ્યરાત્રિએ 1 વાગ્યાનો રહેશે. મેટ્રોના લંબાયેલ સમય દરમિયાન, મેટ્રો મુસાફરી માટે ફક્ત રૂપિયા 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. આ સ્પેશિયલ પેપર ટિકિટ બધા મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે થશે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને કોટેશ્વર રોડથી એ.પી.એમ.સી સુધી રાત્રે 10 વાગ્યા પછી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રો મળશે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધીના રૂટ ઉપર મોટેરા સ્ટેડિયમથી રાત્રે 2 વાગ્યા સુધી દર કલાકે, જ્યારે સેક્ટર-1થી રાત્રે 10:00 વાગ્યાથી એક વાગ્યા સુધી દર કલાકે ટ્રેન મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *