વસ્તી ગણતરી 2025 માટે ગુજરાત સરકારે વેબસાઈટ લોંચ કરી

Spread the love

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી વસ્તીગણતરી ગુજરાત વેબસાઇટ લોન્ચ કરી છે. આ પહેલ ડિજિટલ સેન્સસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેનો પાયલોટ પ્રોજેક્ટ સુરત, દાહોદ અને મોરબી જિલ્લાઓમાં શરૂ થયો છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા સંતુલિત વિકાસની જે કલ્પના કરી છે તે જન ગણના સે જન કલ્યાણના સૂત્ર સાથે સુસંગત છે. તેમણે ઉમેર્યું કે, આ નવી વેબસાઈટના લોકાર્પણથી આ દ્રષ્ટિને વધુ બળ મળશે.

આગામી વસ્તીગણતરી 2027 પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા હાથ ધરવામાં આવશે, જેની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી. તેમણે નોંધ્યું કે, નાગરિકો માટે વેબ પોર્ટલ દ્વારા તેમની માહિતી સુરક્ષિત રીતે સબમિટ કરવા માટે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરાઈ રહી છે. આ સુવિધાનું પ્રારંભિક પરીક્ષણ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પસંદગીના જિલ્લાઓમાં થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *