ભાજપ સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચાલશે!

Spread the love

 

ભાજપ સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની મુશ્કેલીમાં વધારો થયો છે. કંગના વિરુદ્ધ ખેડૂતોનું અપમાન અને રાજદ્રોહનો કેસ ચાલશે. સ્પેશિયલ જજ MP-MLA લોકેશ કુમારની કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ. તેમાં કોર્ટે કંગના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી સ્વીકારી લીધી છે. કોર્ટે કહ્યું કે, હવે આ કેસ એ જ નીચલી કોર્ટમાં ચાલશે, જેણે કંગનાનો કેસ ફગાવી દીધો હતો. અગાઉ, 10 નવેમ્બર (સોમવાર) ના રોજ, કોર્ટે કંગનાના વકીલોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કંગના સામેનો કેસ IPCની કલમ 356 અને 152 હેઠળ ચલાવવામાં આવશે.
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ છે. તેની વિરુદ્ધ ખેડૂતોનું અપમાન કરવા અને રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર રાજદ્રોહનો આરોપ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. આજ સુધી, કંગના કોર્ટમાં હાજર થઈ નથી. તેને છ સમન્સ પાઠવવામાં આવી ચૂક્યા છે. હકીકતમાં, 11 સપ્ટેમ્બર 2024ના રોજ વકીલ રમાશંકર શર્માએ કંગના રનૌત વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, કંગનાએ 26 ઓગસ્ટ 2024ના રોજ એક ઇન્ટરવ્યૂમાં ખેડૂતો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી લાખો ખેડૂતોની લાગણીઓને ઠેસ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *