SLBC ની બેઠકમાં ડે.સીએમ હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી નીતિ સામે નારાજગી પ્રગટ કરી

Spread the love

 

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની ૧૮૭મી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી નીતિ સામે નારાજગી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું કે બેંક એકાઉન્ટ ફ્રીઝ થવામાં મોડું થાય છે. પોલીસ તરફથી માહિતી અપાયા બાદ પણ મોડું થાય છે. તેમણે એમ પણ કહ્યું કે દરેક બેન્કમાં નોડલ અધિકારી નીમવા જોઇએ જેથી સાયબર ફ્રોડનો કોલ મળતા સત્વરે એકાઉન્ટ ફ્રીઝ કરાય. બેઠકમાં તેમણે એક કો-ઓર્ડીનેશન કમિટી બનાવવા પણ આદેશ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે, દેશમાં બેન્કિંગ સેવાઓ માત્ર ધનિક અને શહેરી વર્ગ પૂરતી જ સીમિત હતી. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી જન ધન યોજના”થી ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *