India Tariff on America: ભારતે 30 ટકા ટેરિફ લાદતા અમેરિકાની ઊંઘ ઉડી, અમેરિકી સીનેટરે વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

Spread the love

 

ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળનો ગ્રાહક દેશ છે જે વૈશ્વિક વપરાશના આશરે 27% હિસ્સો ધરાવે છે. ભારત યુનાઇટેડ સ્ટેટ્સથી લઈને રશિયા, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમાર જેવા દેશોમાંથી પણ કઠોળ પાકની મોટા પાયે આયાત કરે છે. પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે, ભારત આ દેશોમાંથી વટાણા, મગ, તુવેર અને મસૂરની આયાત કરે છે. તાજેતરના યુએસ ટેરિફના જવાબમાં, ભારતે યુએસ કઠોળ પર 30% ટેરિફ લાદ્યો.

ભારતના નિર્ણયથી યુએસને ફટકો

ભારત કૃષિ ઉત્પાદનો ખાસ કરીને કઠોળ માટે એક મુખ્ય બજાર હોવાથી ભારતના આ પગલાને યુએસ દ્વારા સારી રીતે આવકારવામાં આવ્યો ન હતો. મોન્ટાનાના રિપબ્લિકન સેનેટર સ્ટીવ ડેઇન્સ અને નોર્થ ડાકોટાના કેવિન ક્રેમરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને રાષ્ટ્રપતિ ટ્રમ્પને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કઠોળ પરના ટેરિફ અંગે ચર્ચા કરવા અને આ ટેરિફને ઘટાડવા વિનંતી કરી હતી. વળી આ સંદર્ભમાં યુએસ સેનેટર સ્ટીવ ડેઇન્સે રવિવારે નવી દિલ્હીમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંનેએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો અને તેમના વ્યૂહાત્મક મહત્વની ચર્ચા કરી.

ભારતના ટેરિફ અમેરિકાને નુકસાન પહોંચાડે

16 જાન્યુઆરીના પત્રમાં બે રિપબ્લિકન સેનેટરોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જાણ કરી હતી કે મોન્ટાના અને નોર્થ ડાકોટા અમેરિકામાં ટોચના કઠોળ ઉત્પાદકો છે. તેથી ભારતના આ ટેરિફ તેમના ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભારતે 1 નવેમ્બરના રોજ યુએસ પીળા વટાણા પર 30% ટેરિફ લાદ્યો હતો. પરિણામે યુએસ કઠોળ ઉત્પાદકો ભારતમાં તેમના ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો નિકાસ કરતી વખતે નોંધપાત્ર સ્પર્ધાત્મક ગેરલાભનો સામનો કરી રહ્યા છે. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રને ભારત સાથેના વેપાર સોદાની વાટાઘાટો દરમિયાન આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *