શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બ્રિજમોહન સૂદ
અમદાવાદ
શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ અને રોટી બેન્ક દ્વારા આયોજીત વિશ્વ શાંતિ રેલી ૨૦૨૨ વૈષ્ણોદેવી માતાના દર્શન કરીને આજે ૭ જુલાઈ ૨૦૨૨ના રોજ પટનીટોપ પહોંચી હતી, જ્યાં પૂર્વ DGP ડૉ. એસ. પી. વૈધ સાહેબ અને તેમના પત્ની શ્રી ભારતી વૈધએ તેમનું ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું હતું
અને બીજા દિવસે સવારે લેહ દ્રાસ જવા માટે રવાના થયા ત્યારે રેલીનું ફ્લેગ ઓફ પણ ડૉ. એસ. પી. વૈધ અને તેમની પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું. ૮ જુલાઈ ૨૦૨૨ના રોજ રસ્તામાં ખૂબ જ ટ્રાફીક જામ હોવા છત્તા જમ્મુ કશ્મીર પોલીસ દ્વારા ખૂબ સારી સુવિધા સાથે સેવા પૂરી પાડવામાં આવી જેથી સમયસર રીતે અમારી રેલી સોનમર્ગ થઈને લેહ – દ્રાસ પહોંચી હતી. લેહ પહોંચતાની સાથે જ લેહ – લદાખ સરકાર દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રોકાણ પણ ત્યાંજ કરવામાં આવ્યું હતું. ૯ જુલાઈ ૨૦૨૨ના રોજ સવારે ૯:૩૦ વાગે કારગિલ શહીદોના સ્થળ પર અમને નમન કરીશું અને ત્યારબાદ કારગિલ યુનિવર્સિટી ગયા અને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બ્રિજમોહન સૂદ, ટ્રસ્ટી શ્રી એ. કે. પવાર અને રેલીના શાંતિ દૂતોએ ત્યાંનાં વિધ્યાર્થીઓને મળ્યા અને તેમની સાથે ગાંધી સેંટર ખોલવાની ચર્ચા કરી અને તેઓને ગાંધીના પુસ્તકો અર્પણ કર્યા તથા પર્યાવરણને મદદરૂપ થાય તેવો વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરેલ હતું.