GJ-18 ના નોટીફાઈડ, આરોગ્ય, મેલેરિયા, ફાયર બ્રિગેડના કર્મચારીની ૨૦૧૦ પછી લટકેલું ગાજર જેવો પ્રશ્ન
ગુજરાતમાં જેમની પાસે સંખ્યાબળ અને મોટી રેલી, આંદોલન કરે તેમના પ્રશ્નો નીવેડો આવે, પણ સરકાર સાથે કામ કરીને શાંતિથી ગાંધી ચિંન્ધ્યા માર્ગે રજૂઆત કરવા છતાં ૧૨ વર્ષથી ટલ્લે ચડેલો પ્રશ્ન ટલ્લે તો ચડ્યો પણ ટોચ ઉપર જતો રહે છે, ત્યારે GJ-18 મનપાના કર્મચારીઓ જે વર્ષોથી અગાઉ નોટીફાઈડ એરીયા જે મહાનગરપાલિકા પહેલા અસ્તિત્વમાં હતી તે કર્મચારીઓના રીટાયર્ડ બાદ ફિક્સ ૧૩, હજાર પેન્શન મળે છે. ત્યારે ફાયર બ્રિગેડના કર્મચારીને તો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે ત્યારે સારી ઉમદા કામગીરી હોવા છતાં મનપાના પૂર્વ કર્મચારીઓને દર-દર ઠોકરો ખાવી પડે છે, ત્યારે સાતમો પગાર પંચ પણ મળેલ નથી, તો શું આંદોલન, રેલી સરકાર સામે બાયો ચડાવે તો જ ર્નિણય કરવાનો ? શાંતિથી રજૂઆત કરે તો લટકણીયા ગાજર જેમ કર્મચારીને સમજાવવાના ?
ય્ત્ન-૧૮ મનપા ૨૦૧૦માં અસ્તિત્વમાં આવ્યા બાદ જુના કર્મચારીઓની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે ટેન્શનની ફાઈલ જે સચિવ શ્રી મિલીંદ તોરવણેને ત્યાં મળે છે પણ રેલી ,સરઘસ ,કે આંદોલન કરો તો નીવેડો આવે, અને શાંતિથી રજૂઆત કરો તો ન આવે, તેઓ ઘાટ સર્જાયો છે, ક્યારે મનપા પાસે અબજાે રૂપિયાની ગ્રાન્ટો આવે છે, અને આ ગ્રાન્ટોમાં માંડ એક ટકો કર્મચારીની માંગ હશે ત્યારે વર્ષોથી ફરજ બજાવતા અને GJ-18 ને જીવંત રાખનારા અત્યારે મૃતઃપ્રાય જેવી હાલતમાં ઠેર ઠેર ઠોકરો ખાઈ રહ્યા છે, ત્યારે આ લોકો સામે જુઓ અને આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી લોકોમાં પણ માંગણી અને લાગણી ઉઠી છે.
મેયર ચેરમેન, ડે. મેયરશ્રી દ્વારા આ પ્રશ્ને ગંભીરતા લઇને જુના કર્મચારીે ન્યાય અપાવો, આ લોકોએ મનપા ખાતે લોહી રેડ્યું છે, અગાઉ નોટીફાઇડ વખતના કામ કતાં આ કર્મચારીઓ દર દરથી ઠોકરો ખાઇને રજુઆતદ કરવા છતાં પરીણામ મળેલ નથી, જેથી એક ધક્કો તેમની ફાઇલને મરાવો…