મતદાન વધારવાના ઉદ્દેશ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી કાલે ગાંધીનગરથી ‘અવસર રથ’ને પ્રસ્થાન કરાવશે 

Spread the love

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી

ગાંધીનગર

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાન વધારવાના ઉદ્દેશ સાથે ‘અવસર લોકશાહીનો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં મતદાન પ્રમાણમાં ઓછું થયું છે તેવા વિસ્તારોમાં વિશેષ જનજાગૃતિ માટે ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે.મિશન-૨૦૨૨ અંતર્ગત નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવા ગુજરાતના ૧૧ ઝોનમા ‘અવસર રથ’ ફરશે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી આવતીકાલે તા. ૩ જી નવેમ્બરે, ગુરુવારે સવારે ૧૧.૩૦ કલાકે ગાંધીનગર કલેકટર કચેરીના પ્રાંગણથી ‘અવસર રથ’ને પ્રસ્થાન કરાવશે. આ અવસરે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે. અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com