અમદાવાદ
જમાલપુરમાં ભદ્ર પ્લાઝા તથા અપના બજાર ખાતે આવેલ પાથરણા બજારના વેન્ડર્સને સુઆયોજિત પ્લાનીંગ કરવા સારુ પોલીસ મદદ સાથે રહી પાથરણાવાળાનુ સર્વે કરી,અન-અધિકૃત બેસતા પાથરણાના દબાણો દુર કરવામાં આવ્યા હતા.મધ્યઝોન વિસ્તારમાં ઇલેકશન વોર્ડ – જમાલપુર વિસ્તારમાં ભદ્ર પ્લાઝા તથા અપના બજાર ખાતે આવેલ પાથરણા બજારના વેન્ડર્સને સુઆયોજિત પ્લાનીંગ કરવા સારુ સવારે ૬ કલાક થી થી રાત્રે ૧૦ સુધી અત્રેના વિભાગનો સ્ટાફ,દબાણવાન તથા પોલીસ મદદ સાથે રહી આજ રોજ ૩૭૨ સેવા સંસ્થા + ૪૭૨ સેલો સંસ્થા કુલ પાથરણાવાળા = ૮૪૪ પૈકી ભદ્રકાળી મંદિર થી પ્રેમાભાઇ હોલની આસ પાસના પાથરણાવાળા (સેવા સંસ્થા)પૈકી કુલ-૧૧૬ પાથરણાવાળાનુ સર્વે કરી કુલ- ૧૦૮ વેન્ડર્સ પાસે આઇકાર્ડ માલુમ પડેલ અને તે સિવાયના કુલ- ૮ (આઠ) અન-અધિકૃત બેસતા પાથરણાના દબાણો દુર કરવામાં આવ્ય હતાં. પ્રેમાભાઇ હોલ થી ત્રણ દરવાજા સુધી ના કુલ પાથરણા (સેલો સંસ્થા) પૈકી કુલ – ૧૦૩ વેન્ડર્સનો સર્વે હાથ ધરી તે પૈકી કુલ – ૯૮ વેન્ડર્સ પાસે આઇકાર્ડ માલુમ પડેલ અને તે સિવાયના કુલ- ૫ (પાચ) અન-અધિકૃત બેસતા પાથરણાના દબાણો દુર કરવામાં આવેલ છે. આમ કુલ- ૨૦૬ વેન્ડર્સ અત્રેથી થયેલ ફાળવણી અનુસાર સ્થળે ધંધો કરતા હોય તેવુ માલુમ પડેલ છે અને તે ઉપરાંતના અન-અધિકૃત બેસતા કુલ – ૩૭૫ પાથરણા ને સ્થળેથી દુ૨ ક૨વામાં આવેલ છે. આ કામગીરી તા.૧૯ તથા ૨૦ સુધી કરવામાં આવશે.