ગુજરાતનું કહેવાતું GJ-૧૮ ખાતેના માણસા ખાતે થોડા વરસાદમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો ત્યારે વરસાદ પહેલાં મોન્સૂનની કામગીરીના પ્રશ્ને અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે હાલ ‘‘બીપોરજાેય’’ નામનું વાવાઝોડુંથી તંત્ર સાબદુ હજુ થયું નથી, શું ફક્ત સરકારની જ જવાબદારી છે? તંત્ર અને નાગરિક ની પણ હોવી જ જાેઈએ ત્યારે કરોડો રૂપિયા પાલિકાઓના વિકાસ માટે હર હંમેશ સરકાર ગ્રાન્ટો આપી રહી છે, ત્યારે માણસાની સ્થિતિ જાેવામાં આવે તો ઠેર ઠેર ગંદકીથી રહીશો પણ પરેશાન થઈ ગયા છે. શાકમાર્કેટ, બસ સ્ટેન્ડ, ખુલ્લી ગટરો, ગટરોના પાણી જતા હોય ત્યાં મચ્છરનો ઉપદ્રવ દવા છટકાવવાની સ્થિતિમાં કોઈ બદલાવ નહીં, મચ્છરોનો ઉપદ્રવ સાથે મચ્છરો પણ ટેબ્બા જેવા બની ગયા છે, ત્યારે હવે તંત્ર જાગે, તો રોગો, ભાગે બાકી પ્રશ્નો પ્રજાના આઘે… જેવું ઘાટ સર્જાયો છે.