કેનેડાનાં ટુડો જે બોલે છે તેની સ્ક્રિપ્ટ ‘ખાન સાહેબ’ લખે છે

Spread the love

ભારતની કડક કાર્યવાહી બાદ અવાચક છે. જ્યારે ભારતીય પત્રકારે ખાલિસ્તાની આતંકવાદીને લગતા સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો તો તેઓ કશું બોલ્યા વગર ચાલતી પકડી લીધી હતી. કારણ કે તેઓ જે કાંઈ બોલે છે તેની સ્ક્રિપ્ટ ‘ખાન સાહેબ’ લખે છે. તમે વિચારતા હશો કે આ ‘ખાન સાહેબ’ પાછુ કોણ છે અને તેમનું કેનેડા સાથે શું કનેક્શન છે? કેનેડામાં લોકો તેમને ખાન સાહેબ તરીકે ઓળખે છે, તેઓ ISIના વરિષ્ઠ અધિકારી છે અને પાકિસ્તાનની K-2 યોજનાનો એક ભાગ છે.

જસ્ટિન ટ્રુડોનો ભારત વિરોધી મોરચો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના મોટા ષડયંત્રનો ભાગ છે. આ ષડયંત્ર કેનેડામાં બેઠેલા ‘ખાન સાહેબ’ ઘડી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ પાછળ ખાન સાહેબનો હાથ છે.

ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ISI કેનેડામાં પાકિસ્તાન હાઈ કમિશનમાં K-2 પ્લાન એટલે કે કાશ્મીર-ખાલિસ્તાનનો વિસ્તાર કરવામાં વ્યસ્ત છે. ISIએ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સંકલન માટે પોતાના એક વરિષ્ઠ અધિકારીને તૈનાત કર્યા છે. કેનેડામાં તેઓ ખાન સાહેબ તરીકે જાણીતા છે.

ખાન સાહેબ ISI ના કમાન્ડર રેન્કના અધિકારી છે.

પાકિસ્તાને તેમને રાજદ્વારી તરીકે તૈનાત કર્યા છે

ભારતમાંથી ભાગી છુટેલા ગુંડાઓને કેનેડામાં આશ્રય આપે છે

ગુંડાઓની મદદથી પંજાબમાં હથિયારોની દાણચોરી કરે છે

પંજાબમાં આતંકવાદી ઘટનાઓ દ્વારા વાતાવરણ બગાડવાનું ષડયંત્ર રચે છે

પોતાનું નામ અને ઓળખ છુપાવીને આ ઓફિસર કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓ-ગેંગસ્ટરોમાં ‘ખાન સાહેબ’ તરીકે પ્રખ્યાત થઈ ગયો છે. આ પહેલા પાકિસ્તાન દ્વારા દુબઈ અને કાઠમંડુમાં ભારત વિરુદ્ધ અભિયાન માટે દાઉદ ઈબ્રાહિમનો ઉપયોગ કરીને સમાન મોડ્યુલ ચલાવવામાં આવ્યું હતું, પરંતુ હવે ભારતમાં દાઉદ ઈબ્રાહિમના નેટવર્કનો સંપૂર્ણ નાશ થયા બાદ આ સમગ્ર મોડ્યુલ કેનેડામાં કેન્દ્રિત થઈ ગયું છે.

જ્યાં ખાલિસ્તાની આતંકવાદીઓનો ઉપયોગ કરીને ક્યારેક ખાન સાહેબ, ક્યારેક મિર્ઝા સાહેબ તો ક્યારેક ચૌધરી સાહેબના નામે અધિકારીઓને સંકલન માટે મોકલવામાં આવ્યા છે. આતંકવાદી નિજ્જરના મામલામાં ટ્રુડોએ ભારત પર લગાવેલા આરોપો પાછળ ખાન સાહેબનું ષડયંત્ર છે. સોશિયલ મીડિયા પર ભારત વિરોધી પ્રચાર એ ખાન સાહેબની રમતનો એક ભાગ છે.

પાકિસ્તાનના કાવતરાની સાથે ભારત વિરોધી ઉચ્ચારણો કરવા ટ્રુડોની રાજકીય મજબૂરી છે. વાસ્તવમાં કેનેડામાં 2025માં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા રાજકીય મોરચે ટ્રુડો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટ્રુડો પીએમ પદની રેસમાં વિરોધ પક્ષના નેતા કરતા પાછળ રહી ગયા છે. આવી સ્થિતિમાં સત્તા બચાવવા માટે તેઓ ભારત વિરોધી એજન્ડાને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

ખાલિસ્તાનના મુદ્દે પહેલા ભારતે ટ્રુડોને આંચકો આપ્યો હતો. કેનેડામાં કરાયેલા એક સર્વેએ તેમની પીડા બમણી કરી. સર્વે અનુસાર પીએમ પદની રેસમાં ટ્રુડો વિપક્ષી નેતા કરતા પાછળ રહી ગયા છે. કેનેડિયનો કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલીવરેને પીએમ માટેના શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે જુએ છે.

સર્વેમાં 39 ટકા લોકોએ પિયરને પીએમ પદ માટે યોગ્ય ગણાવ્યા.

જસ્ટિન ટ્રુડોની તરફેણમાં માત્ર 30 ટકા જ વોટ પડ્યા હતા

આ સર્વે એવા સમયે થયો છે જ્યારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમાં, ભારત વિરોધી મોરચો ખોલવો એ ટ્રુડોની રાજકીય ચાલનો એક ભાગ કેવી રીતે છે? ખરેખર, ટ્રુડોને 2021ની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળી ન હતી. તેમની સરકારને ખાલિસ્તાની તરફી જગમીત સિંહ ધાલીવાલની આગેવાની હેઠળની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) દ્વારા ટેકો મળ્યો હતો.

ટ્રુડો સરકાર એનડીપીની મદદથી ચાલી રહી છે. એવું કહેવાય છે કે ટ્રુડોએ જગમીત સિંહના દબાણમાં ભારત પર આવા આરોપો લગાવ્યા છે. નોંધનીય છે કે પીએમ રેસમાં ટ્રુડોને પાછળ છોડી દેનારા પિયર પોઈલીવરે એ નેતા છે જેમણે ટ્રુડો પાસેથી ભારત સામેના આરોપો અંગે પુરાવા માંગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com