પીઆઈબી અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું,સમગ્ર અભિગમ ‘દંડ’થી બદલીને ‘ન્યાય’ આપવા સુધીનો છેઃ ડો.નીરજા ગોટરુ, આઇપીએસ 

Spread the love

અમદાવાદ

પી.આઈ.બી. અમદાવાદે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના સહયોગથી 1 જુલાઈ, 2024થી અમલી થનારા નવા ફોજદારી કાયદાઓ પર એક મીડિયા વર્કશોપ-‘વાર્તાલાપ’ નું આયોજન કર્યું હતું.મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપી, આઈપીએસ ડો. નીરજા ગોટરુ રાવ હાજર રહ્યા હતા, જેમણે ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. જી.એન.એલ.યુ. ગાંધીનગરના નિયામક ડો. એસ. શાંતાકુમાર, જી.એન.એલ.યુ.ના રજિસ્ટ્રાર, પીઆઈબી અને સીબીસીના અધિકારીઓ તેમજ વિવિધ મીડિયા સંસ્થાઓના 70થી વધુ મીડિયા કર્મીઓએ વાર્તાલાપમાં ભાગ લીધો હતો.જી.એન.એલ.યુ. ગાંધીનગરના નિયામક ડો. એસ. શાંતાકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ફોજદારી ન્યાય પ્રણાલીમાં ફિલસૂફી અને અભિગમ કેવી રીતે બદલાયો છે તે વિશે વાત કરી હતી અને ધ્યાન દોર્યું હતું કે ન્યાય એ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે જે અસાધારણ છે.

એડિશનલ ડીજીપી ડો.નીરજા ગોટરુએ નવા ફોજદારી કાયદાઓ અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને ત્રણ કાયદાઓ નીચે મુજબ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડયો હતો: ભારતીય દંડ સંહિતાને ભારતીય ન્યાય સંહિતામાં, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ એવિડન્સ એક્ટને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં તબદીલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com