IMFના નિર્ણય પર વિવાદ: પાકિસ્તાનને 1 અબજ ડોલરની લોન મંજૂરી બાદ થઈ વૈશ્વિક ટીકા

Spread the love

 

IMF કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા પાકિસ્તાનને $1 અબજ ડોલરની લોન મંજૂરી આપવાથી નવી વિવાદાસ્પદ સ્થિતિ ઊભી થઈ છે. ભારત સહિત અનેક દેશોએ આ પગલાની તીવ્ર ટીકા કરી છે અને તેને દુઃખદ અને વિસંગત નિર્ણય ગણાવ્યો છે.

ભારતની ભાવુક અને વ્યૂહાત્મક ચિંતા

IMF દ્વારા મંજૂર કરાયેલા વિસ્તૃત ભંડોળ સુવિધા (EFF) હેઠળ પાકિસ્તાનને અત્યાર સુધીમાં $2.1 બિલિયન આપવામાં આવી ચૂક્યા છે. સાથે જ ક્વાઈમેટ રેઝિલિયન્સ અને સ્ટેબિલિટી ફેસિલિટી (RSF) હેઠળ પણ $1.3 બિલિયન મંજૂર કરવામાં આવ્યા છે. ભારતે આ પગલાની વિરૂદ્ધમાં કડક વલણ દાખવ્યું અને IMF બેઠક દરમિયાન મતદાનથી દૂર રહીને વિરોધ નોંધાવ્યો. નાણા મંત્રાલયે કહ્યુ કે પાકિસ્તાન આ ભંડોળનો ઉપયોગ આતંકવાદને ટેકો આપવા માટે કરી શકે છે, જેના પર વૈશ્વિક સ્તરે જવાબદારી ઊભી રહેવી જોઈએ.

IMFની નીતિ પર વૈશ્વિક અવાજો ઊઠ્યા

IMFના નિર્ણય સામે માત્ર ભારત જ નહીં, પણ અન્ય દેશો અને વિશ્લેષકોએ પણ સવાલ ઊઠાવ્યા છે. પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે તેને “ભયાનક તમાશો” ગણાવ્યો અને કહ્યું કે પશ્ચિમી દેશો પાકિસ્તાન માટે જવાબદારી નક્કી કરતાં નથી. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સુશાંત સરીન કહે છે કે આ ભંડોળ લશ્કરી સત્તાને વધુ બળ આપે છે, સુધારા નહીં લાવે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ કહ્યુ કે IMF પોતાના પગલાથી તણાવ ઘટાડવા બદલે તેને વધુ ભડકાવશે. જ્યારે અફઘાન મુલક છોડેલી મરિયમ સોલેમાનખિલે જણાવ્યું કે, “IMFએ અર્થતંત્ર નહીં, પણ રક્તપાત બચાવ્યું છે.”

પાકિસ્તાન અને IMFના આર્થિક સંબંધો વિશ્વ માટે મૂંઝવણરૂપ સાબિત થઈ રહ્યા છે, ખાસ કરીને જ્યારે આતંકવાદ અને અસ્થિરતા જેવી સમસ્યાઓ ઊભી છે. વિશ્વ સમુદાયે હવે એવું ભંડોળ આપતી સંસ્થાઓ પાસેથી વધુ જવાબદારીની અપેક્ષા રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *