મોરબીમાં અલગ અલગ બે બનાવમાં બે યુવાનના મોત

Spread the love

 

મોરબી જિલ્લામાં બે અલગ-અલગ બનાવમાં બે વ્યક્તિના મોત થયા છે. વાંકાનેર તાલુકાના કાશીપર ગામના 44 વર્ષીય મુન્નાભાઈ લખમણભાઇ માલકીયાએ પોતાની વાડીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. તેઓ ખેતીકામ સાથે સંકળાયેલા હતા. બપોરના સમયે બનેલી આ ઘટનામાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ડી.એમ. રાંકજા આ કેસની તપાસ કરી રહ્યા છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
બીજી ઘટનામાં, ટંકારા તાલુકાના વાછકપર ગામના 46 વર્ષીય રમેશભાઈ જેસાભાઇ પરમાર પોતાની વાડીએ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમના પુત્ર જયભાઈ તેમને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બંને ઘટનાઓની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનોને કરવામાં આવી છે. પોલીસે બંને કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *