સુરેન્દ્રનગરમાં રસ્તા રિપેરિંગ શરૂ:વોર્ડ-8માં રિવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે ખાડાઓની મરામત, ગ્રામ્ય વિસ્તારમાં પણ કામગીરી

Spread the love

 

 

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ પર વરસાદને કારણે ખાડાઓ પડ્યા હતા. વરસાદી માહોલમાં વિરામ આવતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગે દુરસ્તી કામગીરી હાથ ધરી છે. મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-8માં આવેલા રિવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે પડેલા ખાડાઓની પ્રાથમિક મરામત કરવામાં આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી ખરાબ થયેલા રસ્તાઓનું કોન્ક્રીટ પેચવર્ક કામ પણ શરૂ થયું છે. માર્ગ અને મકાન વિભાગની ટીમે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને મોટરેબલ બનાવવા માટે જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર જેવા સાધનોનો ઉપયોગ કરી રહી છે. સુપરવાઈઝરની દેખરેખ હેઠળ સમારકામની ટીમ કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *