
અમેરિકાના ટેક્સાસમાં એક ભારતીય યુવકના માથું ઘડથી અલગ કરીને હત્યા કરવાનો વિવાદ હજુ ઉકેલાયો નથી ત્યારે વધુ એક ભારતીયની હત્યા સામે આવી છે. કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં 30 વર્ષીય ભારતીય એન્જિનિયરની હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે 3 સપ્ટેમ્બરના રોજ તેને ગોળી મારી દીધી હતી. પોલીસનું કહેવું છે કે મોહમ્મદ નિઝામુદ્દીને તેના રૂમમેટ પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે તેનો પીછો કરતી વખતે અને તેને રોકવાનો પ્રયાસ કર્યો અને તે વખતે તેને ગોળી મારી દીધી હતી, જેના પરિણામે તેનું મોત નીપજ્યું હતું.
NDTVના જણાવ્યા પ્રમાણે, 3 સપ્ટેમ્બરના રોજ સાન્ટા ક્લેરા પોલીસને 911 પર એક ફોન આવ્યો જેમાં એક ઘરમાં ઝઘડો અને છરાબાજીની જાણ થઈ. પોલીસ ત્યાં પહોંચી તો નિઝામુદ્દીન છરી પકડીને તેના રૂમમેટને પકડીને બેઠો હતો. રૂમમેટ ઘાયલ થયો હતો. ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો. નિઝામુદ્દીનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે બચી શક્યો નહીં. રૂમમેટ જીવિત છે અને સારવાર હેઠળ છે. પોલીસના નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, “અમે ગોળીબારમાં એક અધિકારીનાં સંડોવાયેલા હોવાની જાણ કરી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.”
પરિવારે જણાવ્યું કે, નિઝામુદ્દીનના પિતા મોહમ્મદ હસનુદ્દીન કહે છે કે તેમના દીકરાએ પોલીસને ફોન કરીને મદદ માંગી હતી. પરંતુ તેને જ ગોળી મારવામાં આવી હતી. 18 સપ્ટેમ્બરના રોજ પિતાને તેમના દીકરાના મૃત્યુના સમાચાર મળ્યા. તેમણે તાત્કાલિક વિદેશ મંત્રી એસ. જયશંકર, ભારતીય દૂતાવાસ અને સાન ફ્રાન્સિસ્કો સ્થિત કોન્સ્યુલેટને પત્ર લખીને મૃતદેહને ભારત પરત લાવવાની વિનંતી કરી.
આ દરમિયાન તેલંગાણાના મહબૂબનગર જિલ્લાના રહેવાસી મોહમ્મદના પિતા, મોહમ્મદ હસનુદ્દીને, ભારતીય વિદેશ મંત્રી જયશંકરને પત્ર લખીને જવાબ અને ન્યાયની માંગણી કરી છે. તેમણે વિદેશ મંત્રીને તેમના પુત્રના મૃતદેહને ભારત લાવવાની પણ અપીલ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે તેમનો પુત્ર માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગયો હતો અને કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં રહેતો હતો, પરંતુ તેમને એક મિત્ર તરફથી તેમની હત્યાના સમાચાર મળ્યા. તેમને શંકા છે કે આ ઝઘડો વંશીય ભેદભાવને કારણે થયો હશે, જેના વિશે તેમણે તેમના પરિવારને જણાવ્યું હતું.
હસનુદ્દીને કહ્યું કે તેમના પુત્રનો મૃતદેહ સાન્ટા ક્લેરાની એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમણે વિદેશ મંત્રી જયશંકરને વિનંતી કરી કે તેઓ તેમના પુત્રની હત્યા વિશે વિગતવાર માહિતી મેળવે અને તેમને સમગ્ર મામલાની જાણ કરે, કારણ કે મોહમ્મદ કોઈ પર હુમલો કરવા સક્ષમ વ્યક્તિ નહોતો. હકીકતમાં, તે વંશીય ભેદભાવનો સામનો કરી રહ્યો હતો, જેના કારણે આ મહિનાની શરૂઆતમાં તેના રૂમમેટ સાથે ઝઘડો થયો હતો, અને તેના પરિવારે તેને રૂમ બદલવા અને પોલીસ ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.
મજલિસ બચાવો તહરીક (MBT) ના પ્રવક્તા અમજદ ઉલ્લાહ ખાન મદદ કરી રહ્યા છે. તેમણે સાન્ટા ક્લેરા પોલીસ વડા કોરી મોર્ગન સાથે વાત કરી અને જાણ્યું કે મોહમ્મદ આઈઝનહોવર ડ્રાઇવના ઘરે છરી પકડીને જોવા મળ્યો હતો જ્યાં તે તેના રૂમમેટ સાથે રહેતો હતો, અને તેનો રૂમમેટ ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જોઈને તે ભાગી ગયો ત્યારે પોલીસે તેને રોકવા માટે ગોળીબાર કર્યો. મોહમ્મદને ઈજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પીડિતાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.