ગાંધી જયંતિ: ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, મેયર સહિત આગેવાનો અને કાર્યકરોએ ખાદીની ખરીદી કરી
Gj18 મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ૨ ઓક્ટોબરના રોજ ગાંધીનગરના સેકટર ૧૬ સ્થિત ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતે ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ સહિત મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓએ ખાદીની ખરીદી કરી હતી. ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા આપેલી સલાહ અનુસાર શહેરના તમામ હોદ્દેદારોથી લઈને આગેવાનો કાર્યકરોએ ખાદી ભંડારમાંથી ખરીદી કરી હતી, ત્યારે આજે ગરાગી મજબૂત નીકળી છે


