GJ-૧૮ ખાતે વૃક્ષારોપણ તુલસીવંદના કાર્યક્રમમાં OBC ના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ આગેવાની હેઠળ વૃક્ષોનો ઉદય થશે

Spread the love

GJ-૧૮ ખાતે આજરોજ ઋષિવંશી સમાજના સુપ્રિમો એવા હેમરાજ પાડલીયા તતા તેમની ટીમ દ્વારા ૫૧૦૦ વૃક્ષો ગુજરાતમાં વાવવા સાથે ય્ત્ન-૧૮ ખાતે ૧૦૦૦ તુલસી કુંડાનું વિતરણ કરવામાં આવલ્યું હતું. ભાજપ પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આજરોજ સે-૮ ખાતે આવેલા રંગમંચ પાસે OBC  સમાજના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ, ઉપાધ્યક્ષ નાઝાભાઇ ધાંધાર, યોગેશ ગઢવીથી લઇને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે હેમરાજ પાડલીયાએ આ કાર્યક્રમની વિગત આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઋષિવંશી એવા OBC સમાજ દ્વારા ૫૧ વૃક્ષો વાવીને દરેક પ્રજાને ઓક્સીજન સાથે છાંયડો મળે તે માટે અમારી પહેલ છે. અને તુલસીવંદના કાર્યક્રમથી તુલસી એક પવિત્ર છોડ છે, જે ઘરમાં અને તેના પાન પણ આરોગો તો અનેક રોગોનો રામબાણ ઇલાજ છે, ત્યારે હેમરાજ પાડલીયા તથા તેમની ટીમની પણ સરાહના કરીને આ વૃક્ષો ઘર-ઘર સુધી પહોંચાડીને વૃક્ષો વાવવા તરફ લોકો વધુ પ્રગિત કરે તેવો તેમનો ધ્યેય છે.
આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં ઉદય કાનગડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વૃક્ષોની નગરી એવા GJ-૧૮ ને તુલસીના કપારા એવા કુંડા સાથે GJ-૧૮ ને મઢ્યું હતું. મોટી સંખ્યામાં ર્ંમ્ઝ્ર સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને કોરોનાનું ડિસ્ટન્સ જળવાય તે પણ સાવચેતી રાખી હતી, ઉલ્લેખનીય છે, કે અગાઉ કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉન વખતે હેમરાજ પાડલીયા દ્વારા ગામે-ગામે અનાજની કીટનું હજારોની સંખ્યામાં વિતરણ કરવામાં આવ્યું હતું. હવે પ્રજાને ઓક્સીજનની કોરોના કાળમાં જરૂર પડી હતી, તે આવનારી પેઢી માટે અત્યારથીજ બ્યુંગલ વૃક્ષો વાવવાનું ફૂંકી દીધું છે, ત્યારે હવે આવનારા સમયમાં વૃક્ષોનું જતન કરવું તો જ જિલ્લો આપણો રતન બનશે તે ધ્યેયથી આજરોજ વૃક્ષા રોપણથી લઇને તુલસી વંદના કાર્યક્રમ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com